શ્રાવણ મહિનામાં ધરતી પર શિવવાસ રહે છે, આ માટે ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે આ સર્વશ્રેષ્ઠ મહિનો માનવામાં આવે છે.
ભોળેનાથને પ્રસન્ન કરવા માટે કોઇ વિશેષ પકવાન અથવા તો દુર્લભ વસ્તુઓની આવશ્યકતા નથી હોતી, પરંતુ સરળતાથી તમામ સ્થળો પર મળતી સામાન્ય વસ્તુઓ અર્પિત કરવાથી ભગવાન પ્રસન્ન થાય છે. ભગવાન શંકરે સરળ સ્વભાવના છે, જે સ્મશામમાં વસે છે અને જેમના શરીર પર ભસ્મ રહેતી હોય છે. એવામાં ભોળેનાથને પ્રસન્ન કરવા માટે જ તમે રાશિ અનુસાર વસ્તુઓની પસંદગી કરશો તો શિવજી પ્રસન્ન થઇ જશે..
મેષ:
મેષ રાશિના જાતકોએ ભગવાન ભોળેનાથને પ્રસન્ન કરવા માટે મધ અને દુધ મિશ્ર કરીને અભિષેક કરવો જોઇએ અને લાલ ચંદન તેમજ લાલ રંગના ફુલ ચડાવવા જોઇએ. આ જાતકોએ નાગેશ્વરાય નમ:નો જાપ કરવો જોઇએ, આ રીતે પૂજા કરવાથી વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં વધારો થાય છે અને તેમણે કરેલો પુરુષાર્થ સાર્થક નીવડે છે. આનાથી આર્થિક બાબતોમાં પણ પ્રગતિ થાય છે.
વૃષભ:
વૃષભ રાશિના જાતકો જો દહીંથી શિવજીનો અભિષેક કરે તો તેમને ઘણું શુભ ફળ મળે છે. આ સાથે જ ભગવાન શિવની સ્તુતિ પણ કરવી, ચમેલીના ફુલ ચડાવવા અને રુદ્રાષ્ટાકર પાઠ કરવો તેમજ બિલિપત્ર ચડાવવાથી માંગલિક અને સાંસ્કૃતિક ઉત્સવમાં ભાગ લઇ શકશો. તમારી વ્યાવસાયિક પ્રતિષ્ઠામાં પણ વધારો થશે.
મિથુન
મિથુન રાશિના જાતકોએ શેરડીના રસથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઇએ. તેનાથી અજ્ઞાન ભય અને ક્રોધમાંથી મુક્તિ મળશે. કામકાજના સ્થળે અધિકારીઓ તરફથી સારો સહયોગ મળશે. ભગવાન શિવને ધતુરો અને ભાંગ ચડાવવા. સાથે શિવજીના પંચાક્ષરી મંત્ર “ॐ નમઃ શિવાય”નો જાપ કરવો.
કર્ક:
કર્ક રાશિના જાતકોને દરરોજ ઘીથી ભોળેનાથનો અભિષેક કરવો જોઇએ. આ સાથે જ ઓમ નમ: શિવાયના મંત્રનો 108 વખત જાપ કરવો જોઇએ. જેના કારણે જીવનમાં દરેક જગ્યાએ સફળતા મળશે અને સ્વાસ્થ્યમાં સારો લાભ થશે. બિનજરૂરી ગુંચવણોમાંથી પણ રાહત મળશે. શિક્ષણના કાર્યોમાં સારી સફળતા પ્રાપ્ત થશે.
સિંહ:
સિંહ રાશિના જાતકોએ લાલ ચંદનના પાણીથી શિવજીનો અભિષેક કરવો જોઇએ. ભગવાન શિવને કરેણના લાલ રંગના ફુલ અર્પણ કરવાથી તેમજ શિવ ચાલીસાનો પાઠ કરવાથી સારો ફાયદો થશે, આ સિવાય જાતકોએ મહામૃત્યુંજય મંત્રનો 108 વખત જાપ કરો, જેનાથી તમામ મનોકામનાઓ પૂરી થશે.
કન્યા:
કન્યા રાશિના જાતકોએ ભાંગ મિશ્રિત જળથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઇએ. તેનાથી મોટા વડીલો તેમજ કોઇ અધિકારીઓ તરફથી સારો સહકાર મળે અને તેમના કારણે સફળતા હાંસલ થાય. આ રાશિના શિવભક્તોએ ભગવાન શિવને બિલ્વપત્ર, ધતુરો, ભાંગ વગેરે ચડાવવા જોઇએ અને પંચાક્ષરી મંત્ર “ॐ નમઃ શિવાય”નો જાપ કરવો.
તુલા:
તુલા રાશિના જાતકોએ ભગવાન શિવને ગાયના ઘી અને અત્તર અથવા સુગંધિત તેલ અથવા સાકર મિશ્ર કરેલા દુધથી અભિષેક કરવો જોઇએ. કેસર મિશ્રિત મીઠાઈનો ભોગ ચડાવવો જોઇએ. ભગવાન શિવના સહસ્ત્રનામનો જાપ કરવો. આમ કરવાથી ભોળેનાથના આશીર્વાદ સદાય બન્યા રહેશે.
વૃશ્ચિક:
વૃશ્ચિક રાશિના જાતકોએ પંચામૃતથી શિવજીનો અભિષેક કરવો જોઈએ. તેનાથી શિક્ષણ ક્ષેત્રે કરેલો પરિશ્રમ સાર્થક નીવડશે. ધન, યશ, કિર્તીમાં વધારો થસે. શાસત અને સત્તાનો સહયોગ રહેશે. જો પંચામૃત ના હોય તો સાકર મિશ્ર કરીને પાણીપણ અભિષેક કરી શકાય. ભગવાન શિવને ગુલાબનું ફુલ અને બિલિપત્રનું મૂળ ચડાવો. રુદ્રાષ્ટકનો પાઠ કરો.
ધન:
ધન રાશિના જાતકોએ કેસર મિશ્રિત દુધથી ભગવાન શિવનો અભિષેક કરવો જોઈએ. સાથે જ ભગવાના શિવના પંચાક્ષરી મંત્ર “ॐ નમઃ શિવાય”નો જાપ કરવો. તમે ભગવાનને પીળા ફુલો અર્પણ કરો અને ખીરનો ભોગ ધરાવી શકો છો. આ ઉપાયથી સફળતા મળશે અને જવાદબારીમાં પણ વધારો થશે.
મકર:
મકર રાશિના જાતકોએ તલના તલથી શિવજીનો અભિષેક કરવો જોઇએ જેથી ભૌતિક સુખ-સપંત્તિમાં વધારો થશે. ભગવાન શિવજીને બિલિ પત્ર, ધતૂરાનું ફુલ, ભાંગ અને અષ્ટગંધ ચડાવવાથી તેમજ પાર્વતીનાથાય નમઃનો જાપ કરવાથી તમને ઘણું શુભ ફળ પ્રાપ્ત થશે.
કુંભ:
કુંભ રાશિના જાતકોએ સમગ્ર શ્રાવણ મહિના દરમિયાન નાળીયેરનું પાણી, શેરડીનો રસ, સરસવના તેલથી શિવજીનો અભિષેક કરવો અને શિવાષ્ટકનો પાઠ કરવો જોઇએ. તેનાથી ટૂંક સમયમાં જ સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે અને પારિવારિક જીવનમાં પણ સુખ-શાંતિ વ્યાપે છે.
મીન:
મીન રાશિના જાતકોએ પાણીમાં કેસરનું મિશ્રણ કરીને ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઈએ. શિવજી પર પંચામૃત, દહીં, દુધ અને પીળા રંગના ફુલો ચડાવવા જોઇએ તેમજ ચંદનની માળાથી 108 વખત પંચાક્ષરી મંત્ર “ॐ નમઃ શિવાય”નો જાપ કરવો. તેનાથી પારિવારિક તથા વ્યાવસાયિક મોભામાં પણ ઘણો વધારો થાય છે.