ભગવાન શિવ કાળના પણ કાળ છે માટે મહાકાલ કહેવાય છે. તેમની કૃપા થવા પર ગંભીરથી ગંભીર રોગોમાંથી મુક્તિ મળી જાય છે અને સામે આવેલુ મૃત્યુ પણ ટળી જાય છે. માટે તેમની પ્રસન્નતા માટે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવામાં આવે છે. પણ શ્રાવણમાં કેટલાક અન્ય ઉપાયોથી પણ શિવજીને પ્રસન્ન કરીને આરોગ્ય સુખના આશિર્વાદ પ્રાપ્ત કરી શકો છો.
ક્ષય રોગથી મુક્તિ અપાવે છે
શિવપુરાણમાં કહેવામાં આવ્યુ છે કે કોઈ વ્યક્તિને ક્ષય રોગ હોય તો શિવ ચતુર્દશીના દિવસે તેને ભગવાન શિવનો અભિષેક મધથી કરવો જોઈએ. જો આ ઉપાય સોમવારે કરવામાં આવે તો અતિશિઘ્ર લાભ મળે છે. સાથે શિવજીનું ઘ્યાન ધરવું અને યોગ્ય ઉપચાર કરવું જોઈએ.
તાવ મટતો ન હોય તો
સતત દવાઓ લીધા બાદ પણ જો તમારો તાવ મટતો નથી તો દવાઓ ચાલુ રાખવાની સાથે સાથે ત્રિયોદશી કે શિવ ચતુર્દીશી પર શિવલિંગ પર જળ ચઢાવો અને શિવજીને સ્વાસ્થ્યના લાભ માટે વિનંતી કરો.
બાળક માનસિક રૂપથી નબળુ હોય તો
જો કોઈ બાળક માનસિક રીતે નબળુ હોય તો દૂધમાં સાકર ભેળવિને બાળકના હાથોથી દૂધથી શિવલિંગનો અભિષેક કરવો જોઈએ. શિવપુરાણના અનુસાર આવુ કરવાથી મગજ તેજ બને છે.
મનોબળ મજબૂત કરવા માટે
જો કોઈ વ્યક્તિ ભાવનાત્મક રીતે પોતાને અસુરક્ષીત અનુભવતો હોય તો તેને શિવજી પર બિલીપત્ર અર્પિત કરતી વખતે તેની સાથે જળ પણ અર્પિત કરવું જોઈએ. ત્યાર બાદ તે બિલીપત્રને ઉઠાવીને પોતાના શર્ટના ઉપરના ખીસ્સામાં દિવસભર રાખવું જોઈએ અને સાંજના સમયે કોઈ વૃક્ષના નીચે કે ફૂલછોડના કુંડામાં અર્પિત કરી દેવુ. માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિનું એકલાપણુ દૂર થાય છે અને શિવજી હંમેશા તેની સાથે રહે છે.
વારં-વાર જો બિમાર થઈ જવું
જે લોકો વારં વાર બિમાર પડી જાય છે તેઓએ શિવજી પર ધતૂરો અને ભાંગ અર્પિત કરવું જોઈએ. આયુર્વેદમાં ભાંગ અને ધતૂરાને ઔષધિ કહેવામાં આવ્યુ છે. તેને શિવલિંગ પર અર્પિત કરતી વખતે ભગવાન શિવ પાસેથી સ્વાસ્થ્યની કામના કરવી. આમ કરવાથી ભગવાનની કૃપા હંમેશા ભક્ત પર બની રહે છે અને તેના સ્વાસ્થ્યમાં સુધાર આવે છે.