આમ તો દેશમાં હજારો શિવલિંગ મંદિર છે પણ મધ્ય પ્રદેશમાં આવેલું ખજુરાહોમાં સ્થિત શિવલિંગની મહિમા જપ તપ જાણશો તો તમે આશ્ચર્યમાં પડી જશો. હા અમે વાત કરી રહ્યા છીએ ખજુરાહોના સુપ્રસિદ્ધ મહાદેવ મંદિરની જે આખા મધ્યપ્રદેશમાં આસ્થાનું કેન્દ્ર છે.
આ ખાસ શિવ મંદિર લોકોની આસ્થા જોડાયેલી છે પરંતુ આ મંદિર સાથે જોડાયેલો એક ચમત્કાર ખાસ બનાવી દેશે. એવુ માનવામાં આવે છે કે આ મંદિરના શિવલિંગની લંબાઇ દર વર્ષે વધી રહી છે.
દર વર્ષે આ ખાસ દિવસ પર વધે છે શિવલિંગ:
શરૂઆતમાં કેટલાક લોકોની આસ્થા અને અંધવિશ્વાસ સાથે જોડાયેલા મામલો મનાય છે પણ પછી પ્રવાસ વિભાગના કર્મચારીઓ દ્વારા તપાસ કરાઈ તો દર કાર્તિક માસની શરદ પૂર્ણિમાના દિવસે મતંગેશ્વર મહાદેવની મૂર્તિની લંબાઈ એક તલના આકાર જેટલી વધે છે.
ઉપરથી નહી નીચેથી વધે છે લંબાઇ:
દર વર્ષે લંબાઈમાં સામાન્ય વધારો જોવા મળે છે. એટલું જ નહીં આ મંદિરની એવી વિશેષતાઓ પણ છે કે લંબાઈ માત્ર ઉપરની દિશામાં જ નહીં પણ નીચે જમીનમાં પણ વધી રહી છે એટલે કે મંદિરનું શિવલિંગ ઉપર અને નીચે એમ બન્ને તરફ વધે છે. મંદિરની આ ખાસ વિશેષતાના કારણે શ્રાવણ મહિનામાં શિવજીના હજારો ભક્તો ચમત્કારિક શિવજીના દર્શન કરવા માટે આવે છે.
શિવલિંગની નીચે છુપાયો છે મણિ:
એવું માનવામાં આવે છે કે મતંગેશ્વર મંદિરનું નિર્માણ 9મી સદીમાં થયું છે અને આજે ખજુરાહોના સૌથી ઊંચા મંદિર તરીકે તે વિખ્યાત છે. પૌરાણિક કથાઓ પ્રમાણે ભગવાન શંકર પાસે જે મરકત મણિ હતો તે યુદ્ધિષ્ઠિરને આપવામાં આવ્યો હતો. પછી મણિ મતંગ ઋષિ પાસે આવ્યો અને તેમણે રાજા હર્ષવર્મને આપ્યો. રાજાએ મણિને છુપાવવા માટે જમીનમાં દાટી દીધો અને હવે એવી માન્યતા છે કે આ મણિ શિવલિંગની નીચે છે.
આ વિશાળ શિવલિંગ આ મંદિરના પરિસરના ગર્ભગૃહમાં સ્થિત છે. આ મંદિરના દર્શન કરીને લોકો ધન્યતા અનુભવી રહ્યા છે. ખાસ કરીને શ્રાવણ માસમાં અહીં ભક્તોની સંખ્યામાં વધારો થઈ જાય છે.