શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથને અતિપ્રિય છે. શિવભક્તો પણ આ મહિનામાં ભોલેબાબાને મનાવવા માટે કોઇ કસર બાકી રાખતા નથી. શિવભક્તો શિવલિંગ પર દૂધ જળ અને બિલિપત્ર જેવી અનેક વસ્તુઓ અર્પણ કરે છે. પરંતુ શું તમે જાણો છો કે ભૂલથી પણ એવી કોઇ વસ્તુઓ અર્પણ થઇ જશે તો ભગવાન ભોલેનાથ નારાજ થઇ જશે.
હળદર:
હળદરનો સંબંધ ભગવાન વિષ્ણુ અને સૌભાગ્યથી છે. આ કારણે તે ભગવાન શિવને ચડાવવામાં આવતું નથી.
તુલસીના પાન:
જલંધર નામના અસુરની પત્ની વૃંદાના અંશથી તુલસીનો જન્મ થયો હતો. જેને ભગવાન વિષ્ણુએ પત્નીના રુપમાં સ્વીકાર કર્યો છે. આ કારણે તુલસીથી ક્યારેય પણ શિવજીની પૂજા થતી નથી.
તલ:
તલ ભગવાન વિષ્ણુના મેલથી ઉત્પન્ન થયેલું માનવામાં આવે છે. જેને ભગવાન શિવને અર્પિત કરવામાં આવતું નથી.
તૂટેલા ચોખા:
ભગવાન શિવને અક્ષતઃ એટલે કે સંપૂર્ણ ચોખા અર્પણ કરવા જોઈએ. શાસ્ત્રોમાં લખ્યું છે કે તૂટેલા ચોખા અપૂર્ણ અને અશુદ્ધ ગણવામાં આવે છે. જેથી તે શિવ જીને ચડાવવા ન જોઈએ.
કુમકુમ:
કુમકુમ સૌભાગ્યનું પ્રતિક છે. જ્યારે ભગવાન શિવ વૈરાગી છે. આ કારણે શિવજીને કુમકુમ ચડાવવામાં નથી આવતું.