શ્રાવણમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે શિવભક્તો સોમવારનુ વ્રત કરે છે. આ સાથે ભોળાનાથને પ્રિય વસ્તુઓ જેવી કે બિલીપત્ર, ભાંગ, ગંગાજળ, દૂધ, ચંદન, રાખ વગેરે અર્પણ કરવામાં આવે છે. જો કે, શ્રાવણ માસમાં મહિલાઓએ શિવની પૂજા દરમ્યાન વિશેષ સાવધાની રાખવી જોઈએ.
ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે કરાય છે સોમવારનુ વ્રત
મહિલાઓએ પૂજા દરમ્યાન વિશેષ સાવધાની રાખવી જોઈએ
શિવલિંગને ક્યારેય પણ હળદર ના ચઢાવવી જોઈએ
હળદર ના લગાવશો
શિવલિંગ પુરૂષ તત્વ સાથે સંબંધિત છે, તેથી ક્યારેય પણ શિવ અથવા શિવલિંગને હળદર ના ચઢાવવી જોઈએ. તમે શ્રાવણમાં શિવલિંગ પર બિલિપત્ર, ભાંગ, ગંગાજળ, દૂધ, ચંદન, રાખ વગેરે અર્પણ કરી શકો છો.
શિવલિંગ ના અડશો
શાસ્ત્રો મુજબ, ભગવાન શિવની પૂજાના સમયે મહિલાઓેએ ક્યારેય પણ શિવલિંગ પર હાથ ના લગાવવો જોઈએ. એવી માન્યતાઓ છે કે મહિલાઓ દ્વારા શિવલિંગને અડવાથી માતા પાર્વતી નારાજ થાય છે.
કાળા વસ્ત્ર ના પહેરશો
શ્રાવણ મહિનામાં જો તમે સોમવારનુ વ્રત રાખી રહ્યાં છો તો ભૂલથી પણ કાળા રંગના કપડા ના પહેરશો. કાળો રંગ નકારાત્મકતાનુ પ્રતિક હોય છે. ભોળાનાથની ઉપાસના વખતે લાલ અથવા પીળા રંગના કપડા પહેરવા સારુ માનવામાં આવે છે. શ્રાવણ મહિનામાં લીલા રંગના કપડા પહેરવા પણ ઉત્તમ રહેશે.
આ વસ્તુઓ ના ખાશો
શ્રાવણ મહિનામાં મહિલાઓ ભૂલથી પણ રીંગણ, પાંદડાવાળી શાકભાજી, લસણ, ડુંગળી, માંસ અથવા દારૂનુ સેવન ના કરશો. તામસિક ભોજનના બદલે સાત્વિક ભોજનનુ સેવન કરો.