શ્રાવણનો મહિનો શરૂ થતાજ શિવભક્ત તેમની પૂજામાં લીન થઈ જાય છે. ભગવાન શિવની પૂજા અર્ચના માટે તેઓ ક્યારેક બીલીપત્રતો ક્યારેક ભાંગનો સહારો લે છે. માનવામાં આવે છે કે ભોલેનાથને બીલીપત્રખુબ પસંદ છે. એવામાં જાણો બીલીપત્ર સાથે જોડાયેલી પાંચ એવી રોચત વાતો જે કદાચજ તમે સાંભળી હશે.
હિન્દુ શાસ્ત્રના અનુસાર માન્યતા છે કે ભગવાન શિવને બીલીપત્ર ખુબ પસંદ છે. તેમની પૂજમાં બિલીપત્રને શામેલ કરવું અનિવાર્ય માનવામાં આવે છે. માનવામાં આવે છે કે એવું કરવાથી ભગવાન શિવ પોતાના ભક્ત પર જલ્દીથી પ્રસન્ન થઈને ભક્તોને ઈચ્છા પ્રમાણે વરદાન આપે છે. બીલીપત્ર ચઢાવતી વખતે હંમેશા એ વાતનું ધ્યાન રાખો કે જળની ધારા સાથે બીલીપત્ર અર્પિત કરાથી તેનો પ્રભાવ ઘણો વધી જાય છે.
બીલીપત્ર વિશે કહેવામાં આવે છે કે તેને શિવલિંગ પર ચઢાવવાથી શિવજીનું મસ્તક શીતળ રહે છે. જો બીલીપત્રમાં ત્રણ પત્તાઓ હોય તો તે સર્વોત્તમ માનવામાં આવે છે. આ ઉપરાંત ભગવાન પર તેને અર્પિત સમયે ધ્યાન રાખવું કે બીલીપત્ર ખરાબ ન હોય.
સોમવાર આઠમ ચતુર્થી અમાસ પૂર્ણિમા અને સંક્રાંતિના દિવસે બીલીપત્રન તોડવા જોઈએ. શ્રાવણના મહિનામાં તેનાથી પૂજા કરવા માટે તેને પહેલાથી જ તોડીને તમારી પાસે રાખી લો. પણ જો તમે બીલીપત્ર ખરીદી રહ્યા છો તો તમે તેને ગમેત્યારે શિવજી પર ચઢાવી શકો છો. એટલું જ નહીં એક બીલીપત્રને ઘણીવાર ધોઈને પણ ચઢાવી શકાય છે.
કહેવાય છે જે ઘરોમાં બીલીપત્ર લાગોલું હોય છે ત્યાં શિવજીની કૃપા નિરંતર રહે છે. બિલીપત્રને ઘરના ઉત્તર-પશ્ચિમમાં લગાવવાથી યશ કીર્તિની પ્રાપ્તિ થાય છે. જ્યારે ઉત્તર દક્ષીણમાં લગાયેલું હોવાથી સુખ-શાંતિ અને મધ્યમાં લાગેલું હોવાથી ઘરમાં ધન અને ખુશિઓ આવે છે.