શ્રાવણના મહિનાને શરૂ થવામાં ગણતરીના દિવસો બાકી છે ત્યારે આ મહિનામાં ભક્તો ભગવાન શંકરને રિઝવવા માટે વ્રત-ઉપવાસ કરે છે. કોઇ બિલિપત્ર અર્પણ કરે છે તો કોઇ ભાંગ. શાસ્ત્રોના અનુસાર સોમવારનું વ્રત 3 રીતે થાય છે. શ્રાવણ સોમવાર સોળ સોમવાર અને સોમ પ્રદોષ. પંચાગના અનુસાર આ વર્ષે શ્રાવણનો મહિનો 30 દિવસોનો છે જેમાં 5 સોમવાર શામેલ છે. માનવામાં આવે છે શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા-અર્ચના કરવાથી તમામ મનોકામનાઓ પૂરી થાય છે. જાણો આખો દિવસ ઉપવાસ કર્યા પછી વ્રત પુરૂ કરવા માટે જો આ ખાણીપીણીનો ઉપયોગ કરવામાં આવે તો ભગવાન શંકર જલ્દી પ્રસન્ન થાય છે.
વ્રતમાં શું-શું આરોગી શકાય:
શ્રાવણના વ્રતમાં તમે બીજી વ્રતની જેમ બટાકાનું સેવન કરી શકો છો. આ વ્રતમાં આલૂ ચાટ દહીં આલૂ આલૂ ટિક્કી ફ્રાઇ આલૂ બટાકાની સુકીભાજીનું સેવન કરી શકો છો. બટાકામાં રહેલું વિટામિન C તમારા ત્વચા માટે ફાયદાકારક સાબિત થાય છે. બટાકામાં શુગરનો સ્ત્રોત સારા પ્રમાણમાં હોય છે જે વ્રત દરમિયાન તમારા શરીરમાં એનર્જી બનાવી રાખે છે. વ્રત પુરૂ કરવા માટે તમે કટ્ટુના લોટનો ઉપયોગ કરી શકો છો.
ફરાળી થાલીપીઠ:
થાલીપીઠ એક પ્રસિદ્ઘ મહારાષ્ટ્રિયન ડિશ છે. આ બનાવવા માટે સાબુદાણા બાફેલા બટાકા શિંગ અને શિંગોડાના લોટની જરૂર પડશે તમે શિંગોડાના લોટની જગ્યાએ કટ્ટુના લોટનો ઉપયોગ કરી શકો છો.
સામા:
સામાને સામાન્ય રીતે વ્રતમાં ખાઇ શકાય છે. જે દેખાવમાં મોરિઇયા જેવું લાગે છે સામાનો ઉપયોગ તમે ખીર પૂરી પુલાવ સમાની ખિચડી વગેરે બનાવી શકો છો.
દ્રાશ અને ખજૂરની ચટણી:
કંઇક ખાંટું-મીઠું ખાવાની ઇચ્છા થાય તો દ્રાશ ખજૂરની ચટણી ખાઇ શકો છે. કેટલાક લોકો વ્રતમાં શક્કરિયાનો પણ ઉપયોગ કરે છે.