શ્રાવણ મહિનામાં દેવોના દેવ મહાદેવની સાધનનું વિશેષ ફળ મળે છે. દેશભરમાં શિવના ઘણા એવા પાવન તીર્થ સ્થળ છે જેના દર્શન પૂજા સાધનાથી અઢળક ફળ મળે છે. એમાંથી એક છે કોટેશ્વર મહાદેવ મંદિર
ભગવાન શ્રીરામ દ્વારા તીર્થરાજમાં એક શિવલિંગ સ્થાપિત કરવામાં આવ્યું હતું. પ્રયાગના સંગમથી થોડેક દૂર કિનારા પર ભગવાન શિવનુ આ પાવન ધામ સ્થિત છે. ભગવાન શિવને સમર્પિત આ તીર્થ કોટેશ્વરના નામથી પણ ઓળખવામાં આવે છે.
ભગવાન રામ જ્યારે લંકા પર વિજય પ્રાપ્ત કરીને પરત ફરતી વખતે સમય પ્રયાગ પહોંચ્યા તો એમને ભારદ્વાજ મુનિ સાથે મુલાકાત કરીને આશીર્વાદ લેવાની અનુમતિ માંગી પરંતુ ભારદ્વાજ મુનિએ એમના આશીર્વાદ આપવાનું ના પાડતા કહ્યું કે એમને બ્રહ્મ હત્યા કરી છે.
ત્યારે ભગવાન રામે આ પારથી મુક્તિનો ઉપાય પૂછ્યો. એની પર ભારદ્વાજે એમને પ્રયાગના ઉત્તરમાં ગંગા નદીના કિનારે એક કરોડ શિવલિંગ સ્થાપિત કરવા કહ્યું. એની પર ભગવાન શ્રી રામે ભારદ્વારજ મુનિ સાથે એક કરોડ શિવલિંગ બનાવ્યા બાદ એમની નિરંતર પૂજા વગેરેની ચિંતા વ્યક્ત કરી. ત્યારે ભારદ્વાજ મુનિએ કહ્યું મા ગંગાના રેતના એક કણનું એખ શિવલિંગ ના બરાબર છે એટલા માટે તમે ગંગાની રેતથી શિવલિંગ બનાવો.