વડોદરા જિલ્લામાં સૌથી મોટા ખનન માફિયા કેતન ઇનામદાર : કુલદીપસિંહ રાઉલજી
સાવલીમાં જાહેર સભામાં કેતન ઈનામદાર પર લગાવ્યો આરોપ
ગુજરાત ચુંટણીને લઇને વડોદરામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે કાંટે કી ટક્કર જામી છે. ત્યારે સાવલીના કોંગ્રેસના ઉમેદવાર કુલદીપસિંહ રાઉલજીના મોટો આરોપને લઇને રાજકારણ ગરમાયુ છે. ચૂંટણીને લઇને સાવલીમાં જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ભાજપ ઉમેદવાર કેતન ઈનામદાર પર રાઉલજીએ ખનનને લઇને ધગધગતા આક્ષેપો કર્યા હતા.
મહિસાગર નદીના ખનન માફિયા કેતન ઇનામદાર છે: કુલદીપસિહં
રાઉલજીએ ઉમેર્યું હતું કે, સ્થાનિક ધારાસભ્યે મહિસાગર નદીમાં ખનન કરી મોટા ખાડા કરી નાખ્યા છે. વડોદરા જિલ્લામાં સૌથી મોટા ખનન માફિયા કેતન ઇનામદાર હોવાનો પણ રાઉલજીએ આરોપ લાગવ્યો હતો. તેમણે હુંકાર કરતા કહ્યું હતું કે, ડંકાની ચોટ પર કહું છું, ભ્રષ્ટાચારને પ્રજા સમક્ષ ખુલ્લો મુકીશ. તેમ કહી તેમણે ઉમેર્યું કે મહિસાગર નદીના ખનન માફિયા કેતન ઇનામદાર છે. ફોર્મ ભરીને સૂઈ જઈશું તો પણ જીતી જઈશું. તેવું કહેનારા કેતન ઈનામદાર દોડાદોડ કરે છે. ઉપરાત નોકરી વાચ્છુકોને બંગલે બોલાવી ખાલી ચા પીવડાવી રવાના કરતા હોવાના અને યુવા લોકોને માત્ર ધક્કા ખવડાવતા હોવાના કુલદીપસિંહ રાઉલજીના આરોપને લઇને ખળભળાટ મચી ગયો છે.
સાવલી તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક
ઉલ્લેખનીય છે કે, સાવલી વડોદરાના સાવલી તાલુકાનું નગર અને તાલુકાનું મુખ્ય મથક છે. ગુજરાતની 182 વિધાનસભા સીટમાં સાવલી 1 35માં ક્રમાંકે આવે છે. 2017 માં ભાજપ ઉમેદવાર કેતનભાઈ ઈનામદારની જીત થઇ હતી. તેઑએ કોંગ્રેસના સાગર બ્રહ્મભટ્ટને 41,633 મતથી હરાવીને જીત હાંસલ કરી હતી. ત્યારે આજુ વખતે પણ કેતન ઈનામદારએ ફોર્મ ભરતી વખતે કહ્યું હતું કે મારો મુકાબલો કોઇ સાથે છે જ નહિ! હવે જોવું રહ્યું પ્રજા કેટલો સાથ આપે છે.