અનામતને લઈને ભાજપના ઘરમાં જ ઘમાસાણ ચાલી રહ્યું છે. ભાજપના સાંસદ સાવિત્રી ફૂલેએ અનામત બચાવવા માટે સંઘર્ષ સમિતિની રચના કરી દીધી છે અને સાંપ્રત સત્તાને પડકારી છે તો મોદીના મંત્રી બોલ્યા કે અનામતને કોઈ ખતરો નથી અને પ્રધાનમંત્રી મોદીના નેતૃત્વમાં દલિતો માટે ન્યાયની લડત સરકાર લડી રહી છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તરપ્રદેશના બહરાઈચના ભાજપના સાંસદ સાવિત્રી બાઈ ફૂલે દલિતો પ્રત્યેની ભાજપ સરકારની દલિતો પત્યેની નીતિ સામે સવાલો ઊઠાવ્યા છે. આરડીએસઓના સભાગૃહમાં `સંવિધાન અને અનામત બચાવો' સંમેલનને સંબોધન દરમિયાન સાવિત્રીબાઈ ફૂલેએ આડકતરી રીતે પોતાના જ પક્ષની નીતિ પર પ્રહાર કર્યા હતા. સાવિત્રીબાઈ ફૂલેએ સભાને સંબોધન દરમિયાન જણાવ્યું હતું કે દેશમાં અરાજકતાની સ્થિતિનું નિર્માણ થી રહ્યું છે લોકતંત્ર અને સંવિધાનના ધજાગરાં થઈ રહ્યા છે.
આપને જણાવી દઇએ કે આ સ્થિતિમાં નમો બુદ્ધાય જનસેવા સમિતિ સંવિધાન અને અનામત બચાવવા માટે વ્યાપક સંઘર્ષ કરશે એવી જાહેરાત પર કરી દીધી હતી. તેમણે પ્રમોશનમાં અનામત લાગુ કરવા દલિત કાયદાઓને અસરકારક બનાવવા વટહુકમ લાવવા સરકારી વિભાગોમાં અનામત સંબંધી રોસ્ટર લાગુ કરવા અને ન્યાયપાલિકા અને પોલીસ સેવામાં અનામત વ્યવસ્થાની માગ કરી છે. એટલું જ નહીં સાવિત્રી બાઈ ફૂલેએ અન્ય પછાત વર્ગો માટે 27 ટકા અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે 23 ટકા અનામત વ્યવસ્થા અસરકારક રીતે લાગુ કરવા માટે હિમાયત કરી છે.
એ સાથે જ પડતર અને ખરાબાની જમીન ભૂમિહીન અને ગરીબોને ફાળવવા જાતિ આધારિત વસતિ ગણતરી કરાવવા સરકારી સંસ્થાઓનું ખાનગીકરણ રોકવા છે. અને આંબેડકરની પ્રતિમાની તોડફોડ કરનારા ઉપર રાજદ્રોહ હેઠળ કેસ ચલાવવા માગણી કરી છે. સાવિત્રી બાઈ ફૂલેએ ઝુંપડીઓમાં રહેનારા માટે પુનર્રવસવાટની વ્યવસ્થા કરવા તેમજ બહુજન સમાજ પર થઈ રહેલા અત્યાચારોને તાત્કાલિક અસરથી રોકવા અને શિક્ષિત બેરોજગારોને રોજગારી આપવાની પણ માગણી કરી છે. તો મોદી સરકારમાં મંત્રી રામદાસ આઠવલેએ અનામતને કોઈ ખતરો નહી હોવાની દુહાઈ આપી હતી.
પોતાના જ પક્ષની નીતિની ટીકા અને પોતાના જ પક્ષ પાસે દલિતો માટે માગણી આ બન્ને વિરોધાભાસ કેવું પરિણામ સર્જશે તે બાબત એ વાત પર નિર્ભર કરે છે કે દલિત અવાજ ઉઠાવનારા નેતા પોતાની માગણી પ્રત્યે કેટલા મકક્મ રહે છે.