Small Savings Scheme હેઠળ રોકાણકારો માટે પોસ્ટ ઓફિસ નવ અલગ-અલગ બચત યોજનાઓની રજૂઆત કરે છે. આ નવ યોજનાઓમાંથી એક યોજના છે, પોસ્ટ ઓફિસ સેવિંગ્સ એકાઉન્ટ સ્કીમ.
માત્ર 500 રૂપિયામાં બચત ખાતુ ખોલાવી આ યોજનાનો મેળવો લાભ
પોસ્ટ ઓફિસની આ યોજનામાં રોકાણકારોને મળશે સારું રિટર્ન
આ યોજનામાં સરકારી સુરક્ષાનો પણ મળશે લાભૉ
જાણો, સરકારી યોજના અંગે
પોસ્ટ ઓફિસની આ યોજના હેઠળ રોકાણકારોને સારા રિટર્નનો લાભ મળે છે. આ સાથે જ તેમને સરકારી સુરક્ષાનો લાભ પણ પ્રાપ્ત થાય છે. જો તમે તમારી બચાવેલી રકમ બચત ખાતામાં જમા કરાવવા માંગો છો અને તેના પર તમે કોઈ જોખમ લેવા માંગતા નથી તો પોસ્ટ વિભાગ તરફથી આપવામાં આવતી આ યોજનાઓ તમારા માટે સૌથી સારા વિકલ્પમાંથી એક સાબિત થઇ શકે છે. આવો જાણીએ આ સરકારી યોજના અંગે.
કેટલી થઇ શકે છે ડિપોઝીટની રકમ
પોસ્ટ ઓફીસની આ યોજના હેઠળ તમે ઓછામાં ઓછા 500 રૂપિયા ભરી તમે પોતાનું ખાતુ ખોલાવી શરૂઆત કરી શકો છો. જોકે, આ નિયમ હેઠળ રકમ જમા કરાવવાની કોઈ પણ મહત્તમ સમય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. આ ઉપરાંત તમે પોતાના એકાઉન્ટમાંથી ઓછામાં ઓછા 50 રૂપિયાનો ઉપાડ કરી શકો છો.
કોણ ખાતુ ખોલાવી શકે છે?
પોસ્ટ ઓફિસની આ બચત યોજનામાં જે વ્યક્તિની ઉંમર 18 વર્ષથી વધુ છે, તેઓ પોતાનું બચત ખાતુ ખોલાવી શકે છે. આ યોજના હેઠળ એક વ્યક્તિ ફક્ત એક ખાતુ ખોલાવી શકે છે. આ યોજના હેઠળ સગીર તરફથી તેના માતા-પિતા ખાતુ ખોલાવી શકે છે. જોકે, યોજના હેઠળ જોઈન્ટ એકાઉન્ટ ખાતુ ખોલવાની સુવિધા પણ છે.
કેટલુ મળે છે વ્યાજ
પોસ્ટ ઓફિસની આ યોજનામાં સિંગલ અથવા જોઈન્ટ ખાતુ ખોલવાથી ખાતાધારકને વાર્ષિક 4 ટકા વ્યાજ દરનો લાભ પ્રાપ્ત થાય છે. આવક વેરા અધિનિયમની કલમ 80TTA હેઠળ દરેક બચત બેંક ખાતા પર 10,000 રૂપિયા સુધીના વ્યાજને કરપાત્ર આવકમાંથી છૂટછાટ આપવામાં આવી છે. જો મહિનાની 10 તારીખ અને મહિનાના અંતની વચ્ચે બાકી રહેલી રકમ 500 રૂપિયાથી ઓછી હોય છે, તો તેના પર તમને કોઈ પણ વ્યાજ મળશે નહીં.