શું તમે પણ સમયાંતરે નોકરી બદલતા રહો છો? તો પીએફ એકાઉન્ટ સાથે સંબંધિત આ મહત્ત્વપૂર્ણ સમાચાર તમારા માટે છે, નહીંતર તમારે ખૂબ જ ભારે નુકસાન ભોગવવું પડી શકે છે.
પીએફ એકાઉન્ટ સાથે સંબંધિત મહત્ત્વપૂર્ણ સમાચાર
દરેક નોકરી માટે એક UAN નંબર હોવો જરૂરી
નહીંતર ચૂકવવો પડે છે ટેક્સ
દરેક વ્યક્તિ જીવનમાં તરક્કી કરવા માંગે છે. નોકરિયાત વ્યક્તિઓ સમયાંતરે નોકરી બદલતા રહે છે. કંપનીઓ કર્મચારીના પ્રોવિડન્ટ ફંડમાં કર્મચારીઓના પૈસાની સાથે પોતાની સાથે પણ કેટલાક પૈસા જમા કરે છે. શું તમે પણ સમયાંતરે નોકરી બદલતા રહો છો? તો પીએફ એકાઉન્ટ સાથે સંબંધિત આ મહત્ત્વપૂર્ણ સમાચાર તમારા માટે છે, નહીંતર તમારે ખૂબ જ ભારે નુકસાન ભોગવવું પડી શકે છે.
PF એકાઉન્ટ ક્યારે ખુલે છે?
જ્યારે પણ તમે નવી નોકરી જોઈન કરો છો, તો કંપની તમારી પાસે UAN નંબર માંગે છે. જો તમે અગાઉ ક્યાંય નોકરી કરી છે, તો તમારે તે નંબર લખવાનો રહે છે. જો તમે પહેલી વાર નોકરી જોઈન કરી રહ્યા છો, તો કંપની જ તમારું PF એકાઉન્ટ ખોલાવી દેશે. આ એકાઉન્ટ EPFOમાં ખુલે છે, ત્યાર પછી UAN નંબર આપવામાં આવે છે. તમે જ્યાં સુધી નોકરી કરો છો, ત્યાં સુધી આ UAN નંબર તમને કામ આવશે.
PF એકાઉન્ટમાંથી પૈસા કાઢવા માટે શું ટેક્સ આપવાનો રહેશે?
PF નિયમ અનુસાર જો તમે કોઈ કંપનીમાં પાંચ વર્ષ સુધી કામ કર્યું છે અને તમારો PF 50 હજાર કરતા ઓછો હોય તો તે માટે તમારે કોઈપણ ટેક્સ આપવાનો રહેશે. 50 હજાર કરતા PF હોય તો તમારે 10 ટકા TDS આપવાનો રહેશે.
પાંચ વર્ષ કરતા ઓછા સમય સુધી નોકરી કરી હોય તો જ 10 ટકા TDS આપવાનો રહે છે. તમે તે કંપનીમાં પાંચ વર્ષ નોકરી કરી છે અને ત્યાર પછી પૈસા કાઢવા માંગો છો, તો તમારે કોઈ ટેક્સ આપવાનો રહેતો નથી.
PF એકાઉન્ટને મર્જ કરવાના ફાયદા
જો તમારું એક જ PF એકાઉન્ટ હોય તો UAN નંબરથી વર્ક એક્સપીરિયન્સ મર્જ થઈ જશે. ઉદાહરણ તરીકે તમે ચાર કંપનીમાં 3-3 વર્ષ સુધી કામ કર્યું છે અને જો તમારો એક જ PF નંબર હોય તો તમારો કુલ 12 વર્ષનો અનુભવ ગણવામાં આવશે. જો તમે પીએફ નંબર મર્જ કર્યો નથી તો 12 વર્ષની જગ્યાએ 3 વર્ષનો અનુભવ માનવામાં આવશે. જેથી તમે પૈસા કાઢો ત્યારે 10 ટકા ટેક્સ આપવાનો રહે છે.