HDFC બેંકે 6 એપ્રિલ, 2022થી સેવિંગ્સ એકાઉન્ટના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. આ બેંક રૂપિયા 50 લાખથી ઓછી ડિપોઝીટ પર 3% વ્યાજ આપી રહી છે. 50 લાખ કે તેથી વધુની રકમ પર આ બેન્ક 3.50 ટકા વ્યાજ આપી રહી છે.
સેવિંગ્સ એકાઉન્ટ પર અહીં મળી રહ્યું છે સૌથી વધુ વ્યાજ
આ 4 બેન્કોના વ્યાજ દર કરો કમ્પેર
3.50 ટકા સુધી મળશે વ્યાજ
વધતી જતી મોંઘવારીની વચ્ચે એ જોવું જરૂરી છે કે બેંક ખાતા પર કેટલું વ્યાજ મળી રહ્યું છે. બચત ખાતા પર મળતું વ્યાજ પણ એક પ્રકારની કમાણી છે. પરંતુ મોંઘવારી વધી હોવાથી સેવિંગ્સ એકાઉન્ટ પરના વ્યાજદરમાં ઘટાડો થયો છે. આ કારણે બચત પરની કમાણી નેગેટિવ થઈ ગઈ છે. જોકે, હાલમાં જ કેટલીક બેંકોએ દરમાં વધારો કર્યો છે.
SBI
થોડા દિવસો પહેલા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ બચત ખાતા પર વ્યાજ દરમાં ફેરફાર કર્યો છે. આ સુધારો 10 કરોડથી વધુની થાપણો માટે કરવામાં આવ્યો છે. બચત ખાતામાં 10 કરોડ રૂપિયા કે તેથી વધુ રકમ જમા હોય તો સ્ટેટ બેંક 3% વ્યાજ આપે છે. 10 કરોડથી ઓછી રકમ પર 2.7% વ્યાજ મળી રહ્યું છે.
HDFC
HDFC બેંકે 6 એપ્રિલ, 2022 થી બચત ખાતાના વ્યાજ દરોમાં ફેરફાર કર્યો છે. આ બેંક રૂપિયા 50 લાખથી ઓછી ડિપોઝીટ પર 3% વ્યાજ આપી રહી છે. 50 લાખ કે તેથી વધુની થાપણો પર 3.50 ટકા વ્યાજ આપવામાં આવી રહ્યું છે. એચડીએફસી બેંક દરરોજ ખાતામાં જમા રકમ પર વ્યાજની ગણતરી કરે છે.
ICICI
ICICI બેંક બચત ખાતાના વ્યાજ દરોમાં પણ ફેરફાર કર્યો છે. ખાતામાં જમા થતા દરરોજના બેલેન્સના આધારે વ્યાજની ગણતરી કરવામાં આવે છે. આ બેંક અનુસાર જો દિવસના અંતે ખાતામાં 50 લાખ રૂપિયા બેલેન્સ હશે તો તેના પર 3% વ્યાજ આપવામાં આવશે. 50 લાખથી વધુની જમા રકમ પર 3.50 ટકા વ્યાજ મળશે.
PNB
અન્ય બેંકોની જેમ પંજાબ નેશનલ બેંકે પણ બચત ખાતાના વ્યાજ દરોમાં સુધારો કર્યો છે. PNB રૂ.10 લાખથી ઓછી ડિપોઝીટ પર ગ્રાહકોને 2.7% વ્યાજ ચૂકવી રહી છે. 10 લાખથી વધુની થાપણો પર 2.75 ટકા વ્યાજ આપવામાં આવે છે. PNBના નવા દરો 4 એપ્રિલ, 2022થી લાગુ થશે.