નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના વડા ડો.વી.કે પોલે કહ્યું કે મિઝોરમમાં સ્થિતિ ચિંતાનો વિષય છે. કેરળમાં પણ કેસોમાં ઘટાડો થયો છે. પરંતુ આશા છે કે ઝડપી રસીકરણથી ત્યાંની સ્થિતિ સુધરશે
ફેસ્ટિવલની સિઝનનમાં કેસોની સંખ્યામાં વધારો થવાની સંભાવના
ઓક્ટોબર અને નવેમ્બર મહિનાઓમાં વધી શકે છે સંક્રમણ
કેરળ બાદ મિઝોરમમાં પરિસ્થિતિ ચિંતાનો વિષય છે.
કેરળની પરિસ્થીતી સુધારા પર છે.
આઈસીએમઆરના વડા ડો.બલરામ ભાર્ગવે દેશમાં કોરોનાની સ્થિતિ વિશે માહિતી આપતાં જણાવ્યું હતું કે, કેરળમાં કેસોનો ઘટાડો થયો છે. પરંતુ દેશમાં દૈનિક કેસોમાંથી 68 ટકા કેસો હજુ પણ કેરળના છે. આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર હાલ સમગ્ર દેશમાંથી કેરળમાં જ 1.99 લાખથી વધુ સક્રિય કેસો છે. જ્યારે પાંચ રાજ્યો , મિઝોરમ, આંધ્ર પ્રદેશ, કર્ણાટક , તમિલનાડુ અને મહારાષ્ટ્રમાં 10,000 થી વધુ એક્ટિવ કેસો છે.
ફેસ્ટિવલની સિઝનનમાં કેસોની સંખ્યામાં વધારો થવાની સંભાવના
ICMR ના વડા ડો. બલરામ ભાર્ગવે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કહ્યું કે, કેરળમાં કોરોના સ્થાનિક સંક્રમણના કેસો ઘટી રહ્યાં છે. આ સાથે અન્ય રાજ્યોમાં પણ ટૂંક સમયમાં કેસોમાં ઘટાડો થશે. દેશમાં ત્રીજી વેવના જોખમો વચ્ચે તેમણે આગામી તહેવારોની સિઝનમાં પણ સાવચેતી રાખવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે. ડો. ભાર્ગવે કહ્યું કે, તહેવારો નજીક આવી રહ્યાં છે. અને વસ્તી ગીચતામાં અચાનક વધારો વાયરસના ફેલાવા માટે અનુકૂળ વાતાવરણ બનાવે છે.
ઓક્ટોબર અને નવેમ્બર મહત્વના છે આ દરમિયાન ચેપ વધી શકે છે.
નીતિ આયોગના સભ્ય અને નેશનલ કોવિડ ટાસ્ક ફોર્સના વડા ડો. વી.કે.પૌલે પણ તહેવારોની સિઝનમાં કોરોનાના કેસોમાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, દેશમાં આવનારા બે-ત્રણ મહિના મહત્વના છે, આવી સ્થિતિમાં દેશમાં ક્યાંય પણ કોરોના કેસ ન વધે તેની ખાતરી કરવા માટે ખાસ ધ્યાન આપવું પડશે. આ વર્ષના અંત સુધીમાં કોરોના સંક્રમણના ફેલાવાના જોખમનું મૂલ્યાંકન કરતા ડો. વી.કે.પોલે જણાવ્યું હતું કે, "અંદાજ મુજબ ઓક્ટોબર અને નવેમ્બર સૌથી મહત્વના મહિના છે અને તે મહિનાઓમાં ચેપ વધી શકે છે."
મિઝોરમમાં પરિસ્થિતિ ચિંતાનો વિષય છે.
ડો. પૌલે એમ પણ કહ્યું કે, આ ઉત્સવ અને ફ્લૂના મહિનાઓ છે. આ બે મહિનામાં આપણે ખૂબ કાળજી રાખવી પડશે.તેમણે વધુમાં ઉમેર્યું કે, 'જ્યાં પણ ચેપના કેસ થોડો પણ વધી રહ્યો છે, ત્યાં તેને વધારે વધવા દેવો જોઈએ નહીં અને તાત્કાલિક નિયંત્રણ માટે ધ્યાન આપવું પડશે.' તહેવારો. ડો.વી.કે પોલે એમ પણ કહ્યું કે મિઝોરમમાં પરિસ્થિતિ ચિંતાનો વિષય છે.કેરળમાં પણ કેસોમાં ઘટાડો થયો છે. મિઝોરમમાં પરિસ્થિતિ ચિંતાજનક છે, પરંતુ અમને આશા છે કે ઝડપી રસીકરણથી ત્યાંની સ્થિતિ સુધરશે.
દેશના 20 ટકા પુખ્ત વયના લોકોને રસીના બંને ડોઝ અપાયા છે
રસીકરણના નવીનતમ આંકડા આપતાં સરકારે કહ્યું કે ભારતની 20 ટકા પુખ્ત વસ્તીને અત્યાર સુધી કોવિડ -19 રસીના બંને ડોઝ આપવામાં આવ્યા છે. અને તમામ પુખ્ત વસ્તીના 62 ટકા લોકોને ઓછામાં ઓછી એક માત્રા મળી છે. સરકારે એ પણ જણાવ્યું કે દેશમાં અત્યાર સુધીમાં 57.86 કરોડ પ્રથમ ડોઝ આપવામાં આવ્યા છે, જ્યારે 18.70 કરોડ લોકોને બીજી ડોઝ આપવામાં આવી છે.
શમાં કોરોનાનો કહેર
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર, ગુરુવારે દેશમાં કોવિડ -19 ના 30,570 નવા કેસ નોંધાયા છે. જે બાદ દેશમાં કુલ કેસોની સંખ્યા વધીને 3,33,47,325 થઈ ગઈ છે, જેમાંથી સક્રિય કેસોની સંખ્યા 3,42,923 છે. મંત્રાલય દ્વારા સવારે 8 વાગ્યે અપડેટ કરવામાં આવેલા ડેટા અનુસાર, રોગને કારણે મૃત્યુઆંક વધીને 4,43,928 થયો છે,જેમાં દરરોજ 431 મૃત્યુ નોંધાયા છે.