ટેલિવિઝન સીરિયલ 'સાવધાન ઇન્ડિયા' રાતોરાત બંધ થઇ જતા લગભગ 800 લોકો રસ્તા પર આવી ગયા. આ શોને બોલિવુડ એક્ટર સુશાંત સિંહ હોસ્ટ કરતો હતો. પરંતુ પોતે નથી જાણતો કે આખરે આ નિર્ણય કેમ લેવામાં આવ્યો. આ પહેલા મીડિયા રિપોર્ટ્સ અનુસાર એન્ટરટેનમેન્ટ ચેનલ 'સ્ટાર ભારત' શોના મેકર્સએ પોતાનો નિર્ણય સંભળાવતા આદેશ આપ્યો કે ''તેની શૂટિંગ રોકી દેવામાં આવે.''
સ્ટાર ગ્રુપે ગત વર્ષે જ Life OKને 'સ્ટાર ભારત' તરીકે રીલોન્ચ કર્યુ હતુ. સ્ટાર ભારને ટીવી શોઝથી લઇને નવી પૉલિસી નક્કી કરી છે. 'સાવધાન ઇન્ડિયા' ને પ્રેજેન્ટેશનને લઇને સતત ફરિયાદો મળી રહી છે. શોમાં ગુનેગારોને સારી ઘટનાઓ દેખાડવા માટે સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે. આ જ કારણે ચેનલને એકદમથી શો બંધ કરવાનો નિર્ણય લેવો પડ્યો હતો.
શૉની થતી હતી ટીકા:
નવી પૉલિસી અનુસાર સ્ટાર ભારત એવા શૉ બતાવશે જે દેશના શહેરી અને ગ્રામીણ બન્ને ક્ષેત્રના દર્શકોને પસંદ આવે. રિપોર્ટ અનુસાર શૉને કારણે ચેનલની ટીકા થઈ રહી હતી. આ કારણે શૉ બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
કોણ હતા હોસ્ટ?
ચાર વર્ષથી આ શૉ ટીવી પર આતો હતો અને દર્શકો તેને પસંદ પણ કરતા હતા. સુશાંત સિંહ સિવાય મોહનીશ બહલ પૂજા ગૌર સૌરભ રાજ જૈન શિવાની તોમર હિતેન તેજવાની દિવ્યા દત્ત અને સિદ્ધાર્થ શુક્લા જેવા એક્ટર્સે પણ આ શો હોસ્ટ કર્યો છે