ફાદર વાલેસનું 85 વર્ષની વયે સ્પેનમાં નિધન થયું છે. તેઓને સવાયા ગુજરાતી હોવાનું સન્માન મળ્યું હતું. ફાધર વાલેસે અમદાવાદની સેંટ ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપક રહ્યાં હતા.
ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન
સવાયા ગુજરાતીનું મળ્યું હતું સન્માન
અમદાવાદની સેંન્ટ ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપક રહ્યાં હતા
પ્રાપ્ત મળતા સમાચાર અનુસાર ફાધર વાલેસનું 95 વર્ષની વયે સ્પેનમાં નિધન થયું છે. તેઓને સવાયા ગુજરાતીનું સન્માન મળ્યું હતું. ફાધર વાલેસ અમદાવાદની સેંટ ઝેવિયરસ કોલેજમાં અધ્યાપક રહ્યાં હતા.
ફાધર વાલેસ ધર્મે ખ્રિસ્તી પણ વાણી-વિચારે વૈષ્ણવજન હતા. ફાધર વાલેસનો જન્મ 4 નવેમ્બર 1925માં સ્પેનમાં થયો હતો. તેઓ 1960થી 1982 સુધી સેંટ ઝેવિયર્સ કોલેજમાં અધ્યાપક રહ્યાં હતા.
ફાધર વોલેસને ઉત્કૃષ્ટ સાહિત્યસર્જન માટે 1966માં કુમાર ચંદ્રક અને 1978માં રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો હતો.