મુખ્યમંત્રી વિજય રૂપાણીને એ દરેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની આર્થિક સહાયની આપવાની જાહેરાત કરી
અમરેલી સાવરકુંડલામાં અકસ્માત મામલો
પોલીસે આરોપી ડ્રાઈવરની કરી ધરપકડ
CM રૂપાણીએ 4 લાખની સહાય કરી જાહેરાત
સાવરકુંડલામાં ગમખ્વાર અકસ્માત સર્જાચા 8 લોકોના જીવ ગુમાવ્યા છે જેને લઈ મુખ્યમંત્રી વિજય રૂપાણીને એ દરેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની આર્થિક સહાયની આપવાની જાહેરાત કરી છે. આ સાથે જ અકસ્માતનો ભોગ બનેલા લોકોના પરિવારજનોને ત્વરિત મદદ પૂરી પાડવા વહીવટીતંત્રને આદેશ કર્યા છે.
અમરેલી જિલ્લાના સાવરકુંડલાના બાઢડા ગામ નજીક થયેલા ગમખ્વાર અકસ્માતની ઘટનાથી શોકગ્રસ્ત છું. અકસ્માતનો ભોગ બનેલા લોકોને ત્વરિત અને યોગ્ય મદદ પુરી પાડવા તંત્રને તમામ સૂચનાઓ આપી છે. રાજ્ય સરકાર દુર્ઘટનામાં મૃત્યુ પામેલા પ્રત્યેક મૃતકોના પરિવારજનોને રૂપિયા 4 લાખની સહાય આપશે.
અમરેલીના સાવરકુંડલાના બાઢડા ગામની નજીકના ઝૂપડીમાં સૂતેલા 8 લોકોને કચડી દીધા હતા, જેમાં તમામનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું અકસ્માતની ઘટના બાદ હૃદય ધ્રાવક દ્રશ્યો સર્જાયા હતા. ઘટનાની જાણ થતા જ 108ની ટીમ અને એમ્બ્યુલન્સ ઘટના સ્થળે આવી પહોંચી હતી તેમજ ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડાયા હતા પરતું ઘટના સ્થળે જ 8 લોકોના મોત નિપજતા. સમગ્ર પથંકમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
પોલીસે આરોપી ડ્રાઈવરની કરી ધરપકડ
જો કે સમગ્ર ઘટના બાદ પોલીસ પણ હરકતમાં આવી હતી અને તાબડતોબ આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર ટ્રક ડ્રાઈવર રોંગ સાઈડમાં ટ્રક ચલાવતો હતો ત્યારે 8 લોકોને કચડી માર્યા હતા જ્યારે 12 લોકો ગંભીર ઈજાગ્રસ્ત થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.પોલીસે આરોપીની ધરપકડ કરી માનવવધનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.