સાવરકુંડલામાં સ્કૂલ સંચાલક દ્વારા વિદ્યાર્થીને બંધક બનાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. ત્યારે આ અંગેની જાણ પરિવારજનોને થતા પરિવારજનો રોકકળ કરતા સ્કૂલ ખાતે પહોંચ્યા હતા.
19 એપ્રિલથી આજ સુધી વિદ્યાર્થીને હોસ્ટેલમાં બંધક બનાવ્યો હતો
શાળાનાં સંચાલક દ્વારા વિદ્યાર્થીને બનાવ્યો હતો બંધક
સાવરકુંડલાનાં ગોરડકામાં 12 સાયન્સનાં વિદ્યાર્થીને સ્કૂલ સંચાલકે બંધક બનાવ્યો હોવાનો કિસ્સો પ્રકાશમાં આવી રહ્યો છે. મહુવાનાં આસરાણા ચોકડી નજીકે આવેલી સ્કુલ ઓફ સાયન્સ દ્વારા વિદ્યાર્થીને બંધક બનાવ્યો હતો. સ્કૂલ દ્વારા 19 એપ્રિલથી આજ દિન સુધી 12 સાયન્સનાં વિદ્યર્થીને હોસ્ટેલમાં બંધક બનાવી રખાયો હતો. આ બાબતની જાણ પરિવારજનોને થતા પરિવારજનો તાત્કાલીક સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. 5 દિવસથી પરિવારજનોએ ભુખ્યા તરસ્યા ઘરે રડી રડીને વિતાવ્યા છે. કેટલાંક વિદ્યાર્થીઓ આચાર્યની ટાઢા અટક વિશે એકબીજા સાથે ચર્ચા કરતા હતા. જે વિશે આચાર્યને જાણ થતા તેમણે આ બાબતે તપાસ કરી હતી. ત્યારે પરિવારનો એકનો એક દિકરો સ્કૂલ ઓફ સાયન્સમાં ધો. 12 માં અભ્યાસ કરે છે. તેમજ વિદ્યાર્થી NEET ની પરીક્ષાની તૈયારી કરતો હતો.
વિદ્યાર્થીને બંધક બનાવતા અનેક પ્રશ્નો ઉભા થયા
છેલ્લા પાંચ દિવસથી વિદ્યાર્થીને સ્કૂલનાં સંચાલકે બંધક બનાવ્યો હોવાનાં સમાચાય પરિવારજનોને મળતા પરિવારજનો તાત્કાલીક સ્કૂલ ખાતે દોડી આવ્યા હતા. તેમજ બાળકને સ્કૂલ સંચાલક દ્વારા બંધક બનાવ્યો હોવાનાં સમાચાર પરિવારજનોને મળતા તેઓ રોકકળ કરતા સ્કૂલ ખાતે પહોંચ્યા હતા. તેમજ આ બાબતે રજૂઆત પણ કરી હતી. ત્યારે સ્કૂલ દ્વારા વિદ્યાર્થીને બંધક બનાવતા અનેક પ્રશ્નનો ઉભા થઈ રહ્યા છે.
જીલ્લા શિક્ષણ વિભાગ સ્કૂલ સામે કાર્યવાહિ કરશે કે નહી?
સ્કૂલ ઓફ સાયન્સ દ્વારા વિદ્યાર્થીને બંધક બનાવવાનો બનાવવ પ્રકાશમાં આવ્યો છે. ત્યારે આ બાબતે જીલ્લા શિક્ષણ વિભાગ દ્વારા સ્કૂલ સામે કાર્યવાહિ કરાશે કે નહી. તેને લઈને અનેક પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે. આગામી સમયમાં શિક્ષણ વિભાગ સ્કૂલ સામે શું કાર્યવાહિ કરે છે તે જોવાનું રહ્યું.