ભારતીય જનતા પાર્ટી વિનાયક સાવરકરના પ્રપૌત્રએ પ્રશ્નો ઉઠાવ્યા અને નિશાન સાધ્યું છે. હવે શિવસેના સાંસદ સંજય રાઉતે કહ્યું કે વીર સાવરકર એક મહાન વ્યક્તિ હતા અને મહાન વ્યક્તિ રહેશે. એક વર્ગ તેમની વિરુદ્ધમાં વાત કરતો રહે છે, તે તેમના મનની ગંદગી બતાવે છે.
સાવરકરના મુદ્દા પર શિવસેનાનો શાબ્દિક પ્રહાર
સાવરકર મહાન હતા અને રહેશેઃ સંજય રાઉત
મહારાષ્ટ્રમાં નહીં આવશે સેવાદળની બુક
વિનાયક સાવરકર પર ટિપ્પણી કરનારાને નિશાન બનાવીને સંજય રાઉતે કહ્યું જે લોકો સાવરકરજીને વિશે બોલી રહ્યા છે તેમના મગજની તપાસ કરાવવી જોઈએ. પછી તે મહારાષ્ટ્ર હોય કે દેશનો કોઈ ભાગ. દરેક વ્યક્તિ સાવરકર પર ગર્વ કરે છે. જે લોકો આ પ્રકારની વાતો કરે છે તેમનું મગજ ગંદગીથી ભરેલું છે.
Sanjay Raut,Shiv Sena on a statement in Congress Seva Dal booklet 'Godse&Savarkar had a physical relationship': Veer Savarkar was a great man and will remain a great man. A section keeps talking against him,it shows the dirt in their mind,whoever they might be pic.twitter.com/Yv3aLJjraC
સંજય રાઉતે કહ્યું કે શિવસેનાનું સ્ટેન્ડ સંપૂર્ણ રીતે ક્લીઅર છે
સંજય રાઉતે કહ્યું કે શિવસેનાનું સ્ટેન્ડ સંપૂર્ણ રીતે ક્લીઅર છે. વીર સાવરકર મહાન હતા, છે અને રહેશે. તેઓએ કહ્યું કે જે પણ બુક છપાઈ છે તે મધ્યપ્રદેશની ગંદગી છે. આ ક્યારેય મહારાષ્ટ્રમાં નહીં આવે. આ ગેરકાયદેસર છે, અમને કોઈ સાવરકરને વિશે ન શીખવો તો ઠીક છે.
વીર સાવરકર પર કોંગ્રેસની બુકલેટ અને તેમાં કરવામાં આવેલા આક્ષેપ મામલે હવે વીર સાવરકરના પ્રપૌત્ર રણજીત સાવરકરે ફરિયાદ દાખલ કરવાની માગ કરી છે. ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ વિરુદ્ધ કાર્યવાહીના ભાગ બદલ ફરિયાદ દાખલ કરે. તેમણે કહ્યું કે કોંગ્રેસ દેશમાં અરાજકતા ફેલાવવાનું ષડયંત્ર રચી રહી છે. આ પુસ્તિકાથી સમાજને ગેરમાર્ગે દોરવા પ્રયાસ કરી રહ્યા છે. આ મામલે રણજીત સાગર ઉદ્ધવ ઠાકરેને મળવા માટે પણ પહોંચ્યા છે.
બુકની માહિતી પર હતો સવાલ
ઉલ્લેખનીય છે કે મધ્યપ્રદેશના ભોપાલમાં કોંગ્રેસ સેવાદળના વિનાયક સાવરકરને લઈને એક બુક છાપી છે. જેમાં કેટલીક એવી ટિપ્પણીઓ કરવામાં આવી છે જેની પર પ્રશ્નો થયા હતા. આ બુકમાં દાવો કરવામાં આવ્યો છે કે વિનાયક સાવરકર અને નાથૂરામ ગોડસેમાં સમલૈંગિક સંબંધ હતા. ત્યારથી તેની પર વિવાદ થઈ રહ્યો છે.
શુક્રવારે બીજેપી નેતા આશિષ શેલ્લારે ટ્વીટ કરીને અપીલ કરી કે ઉદ્ધવ ઠાકરેએ આ બુકની નિંદા કરવી જોઈએ અને એલાન કરવું જોઈએ કે મહારાષ્ટ્રમાં આ બુક નહીં આવે. ભાજપના નેતા સિવાય વિનાયક સાવરકરના પ્રપૌત્ર રણજીત સાવરકરે પણ આ બુકની નિંદા કરી હતી.