કોરોના વાયરસે સમગ્ર દેશમાં વિશ્વમાં હાહાકાર મચાવ્યો છે. ત્યારે હવે આ બીમારીથી બીસીસીઆઇના અધ્યક્ષ અને તેનો પરિવાર પણ બચી શક્યા નથી. જો કે, આજરોજ ગાંગુલીના મોટા ભાઇ સહિત સમગ્ર પરિવારનો કોરોના વાયરસ થયો હોવાની ચર્ચાઓ ચાલી રહી હતી.
ગાંગુલીનો પરિવાર કોરોનામાં સપડાયો
પરિવારના કેટલાક સભ્યોને કોરોના પોઝિટિવ
ગાંગુલીના ભાઇ સ્નેહાષીશનો કોરોના રિપોર્ટ નેગેટિવ
ત્યારે હવે આ મામલે ગાંગુલીના મોટાભાઇ સ્નેહાશીષ પણ કોરોના સંક્રમિત હોવાની વાત ખોટી હોવાનો ખુલાસો થયો છે. સ્નેહાશીષના સ્વાસ્થ્યને લઇને ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળે એક પ્રેસનોટ જાહેર કરીને આ અંગે જાણકારી આપી છે.
સીએબી દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રેસનોટમાં સ્નેહાશીષે જણાવ્યું છે કે, હું સંપૂર્ણ રીતે સ્વસ્થ છું અને દરરોજ કાર્યલય જઇ રહ્યો છું. મને બીમારી થયાં વિશેના સમાચાર ખોટા છે અને હાલ આ મહામારીના સમયમાં આ પ્રકારની ચીજની મને આશા નહોંતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મને આશા છે કે, હવે પછીના સમયગાળામાં મનઘડત સમાચાર પર રોક લાગશે.
બંગાળ ક્રિકેટ એસોસિએશને જાહેર કરી પ્રેસનોટ
આપને જણાવી દઇએ કે, બપોરે પ્રસિદ્ધ થયેલા એક સમાચારમાં સ્નેહાશીષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાની વાત સામે આવી હતી પરંતુ તેમણે આ બાબતને ફગાવી દીધી છે.સ્નેહાશીષ હાલમાં બંગાળ ક્રિકેટ એસોસિએશન (સીએબી) ના જોઇન્ટ સેક્રેટરી છે. તેમણે તેમના સમયમાં બંગાળ ક્રિકેટ ટીમનું પણ પ્રતિનિધિત્વ કર્યું હતું.
આજનો દિવસ ગાંગુલી માટે યાદગાર દિવસ છે
કુટુંબ પર આ પ્રકારના સંકટને જોવાની ઇચ્છા કોઈની હોતી નથી. આવા સમાચારોથી આખો પરિવાર હચમચી ઉઠ્યો છે. આજે એટલે કે 20 જાન્યુઆરીએ ગાંગુલીના જીવનનો સૌથી યાદગાર દિવસ છે. 24 વર્ષ પહેલા આ દિવસે તેણે ઇંગ્લેન્ડ સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. તેમણે શનિવારે સોશિયલ મીડિયા પર કહ્યું કે આજનો દિવસ તેમના જીવનનો સૌથી યાદગાર દિવસ છે. ગાંગુલી નિશ્ચિતપણે પરિવારમાં આ સંકટથી પરેશાન હશે.