હાલના સમયે જ્યારે ઓનલાઈન શિક્ષણ શરૂ છે ત્યારે શહેરી વિસ્તારોમાં સુવિધા મળી રહે છે પણ ગ્રામ્ય વિસ્તારોમાં સુવિધાનો અભાવ જોવા મળી રહ્યો છે જેના કારણે ગ્રામ્ય વિસ્તારોમાં વિદ્યાર્થીઓ ઘણી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે.ગામડા માં રહેલા 35ટકા વિદ્યાર્થીઓ સ્માર્ટફૉન ના અભાવે ભણી શકતા નથી આ તમામ બાબત સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી ના મનોવિજ્ઞાન ભવન ના એક ચિંતાજનક સર્વે માબહાર આવી છે જોઇ એ આ સર્વે મા ઓન લાઇન અભ્યાસ મા ગામડા માં કેવી સ્થિતિ જોઇએ આ ખાસ અહેવાલ માં
45 ટકા વિદ્યાર્થી કરે છે ઓનલાઈન અભ્યાસ
55 વિદ્યાર્થીઓ મોબાઈલ ગેમના રવાડે
રિચાર્જના પૈસા ન હોય તેવા 27 ટકા વિદ્યાર્થી
સૌરાષ્ટ્ર યૂનિવર્સિટી ના મનોવિજ્ઞાન ભવન ના પ્રાધ્યાપીકા ડો ધારા દોશી અને વિદ્યાર્થીની પુર્વીશા વિરાણી એ કરેલા સર્વે મા ઓન લાઇન અભ્યાસ મા ગ્રામ્ય વિસ્તારોમાં શુ સમસ્યા છે તેનો ચિતાર છે ગ્રામ્ય વિસ્તારોમાં મોટા ભાગના વિદ્યાર્થીઓના જીવનનિર્વાહ નો આધાર ખેતી હોય છે સાથે મોટાભાગના ઘરના સભ્યોમાં બાળકોની સંખ્યા ત્રણથી ચાર હોય છે જેમના કારણે બધા બાળકોને મોબાઈલ આપવો એ ખૂબ મુશ્કેલ છે અને સાથે બધા જ બાળકો ના મોબાઈલ માં ઈન્ટરનેટ ની સુવિધા પણ નથી હોતી. ઘણા ગામોમાં નેટ સુવિધા ઓછી ઉપલબ્ધ હોય છે જેના કારણે બાળકને અભ્યાસમાં તકલીફ પડે છે જે શિક્ષક બોલે તે સંભળાતું પણનથી હોતું.
એક બાજુ એક સમય હતો કે બાળકોને મોબાઈલ જેવા ઈલેક્ટ્રીક ડિવાઇસથી દૂર રાખવા જોઈએ એ સલાહ હતી અને બીજી બાજુ ઓનલાઇન શિક્ષણના કારણે ગરીબ વાલીઓ અને માતા-પિતા ને પણ દેવું કરીને પણ પોતાના સંતાનોને મોબાઈલ આપવા પડે છે કોરોના પશ્ચાત ના સમયમાં આ એક કરુણ દુઃખ રહેશે. 85% પ્રાથમિક શાળાના બાળકોને ઓનલાઇન ક્લાસ કરતા મોબાઈલ પર ગેમ રમવા માં વધુ રસ પડતો જાય છે અને આ રીતે કહેવાતો ઓનલાઇન શિક્ષણનો હેતુ માર્યો જાય છે.