રાજ્યમાં રાજ્યસભાની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે. રાજ્યસભાની ચૂંટણીને લઇ જોડતોડની રાજનીતિ પણ તેજ થઇ ગઇ છે. ચૂંટણી પહેલા જ કોંગ્રેસમાં રાજીનામાનો દોર શરૂ થઈ ગયો છે. ચોથા તબક્કામાં 4 ધારાસભ્યોએ રાજીનામા ધરી દીધા છે. ત્યારે કોંગ્રેસે રિસોર્ટ પોલિટીક્સ શરૂ કરી દીધું છે. સૌરાષ્ટ્રના ધારાસભ્યોને રાજકોટમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ હાલ તો સૌરાષ્ટ્રના આ તમામ 16 ધારાસભ્યોને રાજુલા ધાનાણીના ગઢમાં લવાયા છે.
સૌરાષ્ટ્ર કોંગ્રેસના ધારાસભ્યો રાજુલા પહોચ્યા
કોંગ્રેસના 16 ધારાસભ્યો ગઢડાથી રાજુલા પહોચ્યા
રાજુલાના ધારાસભ્ય અંબરીશ ડેરે હોટલ દર્શન બુક કરી
રાજ્યસભાની ચૂંટણીને લઈને લઇને પોતાના ધારાસભ્યોને બચાવવા કોંગ્રેસ તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઇ જઇ રહી છે. ત્યારે હાલ આ તમામ ધારાસભ્યોને વિપક્ષ નેતા પરેશ ધાનાણીના ગઢમાં લવાયા છે. આ તમામ ધારાસભ્યોને રાજકોટથી રાજુલા લવાયા છે. રાજુલા લાવવામાં આવેલા ધારાસભ્યો અંબરીશ ડેરના ફાર્મ હાઉસમાં રાત્રી રોકાણ કરવાના હતા. પરંતુ છેલ્લી ઘડીએ નિર્ણય બદલી દેવામાં આવ્યો અને હોટલ બુક કરાઇ છે. આ ધારાસભ્યો હવે રાજુલાની હોટલ દર્શનમાં રોકાણ નક્કી કરાયું છે. આજે રાજુલાની દર્શન હોટલમાં રાત્રીરોકાણ કરશે અને આવતીકાલે ધારી જશે.
ફાર્મહાઉસમાં કોણ રોકાશે ?
પરેશ ધાનાણી, નેતા વિપક્ષ
ભીખાભાઇ જોશી, ધારાસભ્ય, જૂનાગઢ
મોહમદ જાવેદ પીરજાદા, ધારાસભ્ય, વાંકાનેર
પ્રતાપ દુધાત, ધારાસભ્ય, સાવરકુંડલા
લલિત કગથરા, ધારાસભ્ય, ટંકારા
લલિત વસોયા,ધારાસભ્ય, ધોરાજી
વિરજી ઠુમમર,ધારાસભ્ય, લાઠી
ચિરાગ કાલરીયા,ધારાસભ્ય, જામજોધપુર
વિક્રમ માડમ, ધારાસભ્ય, જામ ખંભાળિયા
બાબુભાઈ વાજા, ધારાસભ્ય, માંગરોળ
ભગવાનભાઈ બારડ, ધારાસભ્ય,તાલાળા
મોહનભાઈ વાળા, ધારાસભ્ય,કોડીનાર
વિમલભાઇ ચુડાસમાં, વેરાવળ
અમરીશ ડેર, ધારાસભ્ય, રાજુલા
હર્ષદભાઈ રીબડિયા, ધારાસભ્ય, વિસાવદર
કનુભાઈ બારૈયા, ધારાસભ્ય, તળાજા
ગુજરાતના ધારાસભ્ય રાજસ્થાનમા જતાં અટકાવાયા હતા
રાજસ્થાનમાં કોરોનાના કેસ વધતા હાલ રાજસ્થાનની બોર્ડર સીલ કરવામાં આવી છે. જેને લઈને ગુજરાતના કોંગ્રેસના ધારાસભ્યને રાજસ્થાનમાં જતા અટકાવાયા હતા. ધારાસભ્યને રાજસ્થાનના વાઇલ્ડ વિન્ડ રિસોર્ટ પર જતા અટકાવવામાં આવ્યા હતા. કોંગ્રેસના ધારાસભ્યને પોલીસે આબુ પાસે અટકાવ્યા હતા. આથી તેઓ આબુ બોર્ડરથી જ પરત ફર્યા હતા.
હવે ગુજરાતના ધારાસભ્યને રાજસ્થાન નહીં લઇ જવાયા
આપને જણાવી દઈએ કે, રાજ્યસભાની ચૂંટણી પહેલા ગુજરાત કોંગ્રેસ પોતાના ધારાસભ્યોને બચાવવાની કવાયત કરી રહ્યું છે. જેના ભાગરૂપે હાલ ગુજરાતના 20થી વધારે ધારાસભ્ય રાજસ્થાનના વાઈલ્ડ વિન્ડ રિસોર્ટમાં છે. ગુજરાતમાંથી કેટલાક ધારાસભ્યને રાજસ્થાન લઇ જવાનો પ્લાન બનાવવામાં આવ્યો હતો. પરંતુ હવે ગુજરાતના ધારાસભ્યને રાજસ્થાન નહીં લઇ જવાય. ગુજરાતમાં રહેલા ધારાસભ્યને ગુજરાતમાં જ રખાશે. દક્ષિણ ગુજરાતના ધારાસભ્યને વલસાડમાં રાખવામાં આવશે. સૌરાષ્ટ્રના ધારાસભ્યને રાજકોટમાં રાખવામાં આવ્યા હતા. પરંતુ હાલ તો સૌરાષ્ટ્રના આ તમામ 16 ધારાસભ્યોને રાજુલા ધાનાણીના ગઢમાં લવાયા છે.
કોગ્રેસને જ ખ્યાલ નથી કે ધારાસભ્યોને ક્યા લઇ જવાઃ ભાજપ
કોંગ્રેસના ધારાસભ્યો-આક્ષેપ મુદ્દે ભરત પંડ્યાનું નિવેદન આપ્યું હતું કે કોંગ્રેસ પોતાના ધારાસભ્યો મુદ્દે ખુદ અસમંજસમાં છે. કોગ્રેસને જ ખ્યાલ નથી કે ધારાસભ્યોને ક્યા લઇ જવા. કોંગ્રેસમાં અંદરોઅંદર જ કકળાટ- અસંતોષ છે. પોતાના ધારાસભ્યોને મીડિયા-જનતાથી બચાવી રહી છે. ઘટનાક્રમના સમાચારને ડાયવર્ટ કરવા ભાજપ પર આક્ષેપ કરી રહી છે. કોંગ્રેસ ભાજપ પર MLA ખરીદવાના આક્ષેપો કરી રહી છે. કોંગ્રેસ ખુદ કહી રહી છે કે અમે ભાજપના MLA સાથે સંપર્કમાં છે. કોંગ્રેસ પાર્ટી વિદેશી નેતૃત્વના વેન્ટિલેટર પર છે. કોંગ્રેસનું તુટવુ, વિખેરાવુ અને હારવુ નિશ્ચિત છે.