ખાનગી હોસ્પિટલોથી 3 ગણા ઓછા ખર્ચમાં સારવાર, 200 બેડની હોસ્પિટલને 40 કરોડના ખર્ચે તૈયાર થઈ
સૌરાષ્ટ્રને મળશે સ્વાસ્થ્ય ક્ષેત્રે મોટી ભેટ
કે.ડી.પી.મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ થશે શરૂ
28 તારીખે PM મોદી કરશે લોકાર્પણ
સૌરાષ્ટ્રની જનતાને એઈમ્સની સાથે-સાથે હવે આરોગ્ય ક્ષેત્રે વધુ એક ભેટ મળવા જઈ રહી છે. અને આ ભેટ એટલે કે, કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ.જે હોસ્પિટલ 4 જિલ્લાના લોકો માટે એક મજબૂર આરોગ્યની કળી સાબિત થશે. અને આ હોસ્પિટલું આગામી 28મી તારીખે પ્રધાનમંત્રી મોદી લોકાર્પણ કરશે.
કે.ડી.પી. હોસ્પિટલનો 4 જિલ્લાના લોકોને મળશે લાભ
સૌરાષ્ટ્રને એઈમ્સની ભેટ મળ્યા બાદ હવે આગામી 28મી મે એ આરોગ્ય ક્ષેત્રે વધુ એક ભેટ પણ મળી જશે. અને આ એવી ભેટ હશે જેના કારણે 4 જિલ્લાના લોકોને રાજકોટ અને અમદાવાદ સુધી ગંભીર બીમારીની સારવાર માટે લંબાવું નહીં પડે. આપણે વાત કરી રહ્યા છીએ જસદણના આટકોટમાં તૈયાર થયેલી કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલની. જેનું આગામી 28મી તારીખે પ્રધાનમંત્રી મોદી લોકાર્પણ કરશે.
ફાઈવસ્ટાર હોસ્પિટલ જેવી સુવિધાઓ અપાશે
આ હોસ્પિટલનું સપનું એક સામાન્ય પરિવારમાંથી રાજકીય અને સામાજિક સ્તરે આગળ વધેલા ડૉ.ભરત બોધરાનું હતું. તેમણે આ હોસ્પિટલ માટે ખુદ 5 કરોડ રૂપિયાનું દાન કર્યું. સાથે જ સર્વસમાજને આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા માટે અનુરોધ કર્યો. અને આજે તેનું જ પરિણામ આ હોસ્પિટલ છે. આ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ અંગે વાત કરવામાં આવે તો. આ 200 બેડની હોસ્પિટલને 40 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવી છે. આ ચેરિટી હોસ્પિટલમાં ફાઈવસ્ટાર હોસ્પિટલ જેવી સુવિધાઓ આપવામાં આવશે.
નજીવા દરે થશે દર્દીઓની સારવાર
હોસ્પિટલમાં કેન્સર સહિતના રોગોની તદ્દન નજીવા દરે સારવાર આપવામાં આવશે. અને 24 કલાક હોસ્પિટલમાં ડોક્ટરોની હાજરી જોવા મળશે. એન્જિયોપ્લાસ્ટી માટે દર્દીઓ પાસેથી માત્ર 40 થી 60 હજાર રૂપિયા જ લેવામાં આવશે. જ્યારે આ સિવાય, ક્રિટિકલ કેરમાં દાખલ દર્દી પાસેથી રોજના 250 રૂપિયા અને જનરલ વોર્ડના દર્દી પાસેથી રોજના 150 રૂપિયા ચાર્જ વસુલવામાં આવશે. આમ આ હોસ્પિટલ બોટાદ, સુરેદ્રનગર અમરેલી અને ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારના લોકો માટે વરાદાન રૂપ સાબિત થશે. હાલમાં હોસ્પિટલના લોકાર્પણ માટે પણ પુરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે.રાજકોટમાં એઈમ્સની કામગીરી પણ પુરજોશમાં ચાલી રહી છે. અને આગામી એક વર્ષમાં એઈમ્સનું પણ લોકાર્પણ થઈ શકે છે. પરંતુ તે પહેલા કે.ડી.પરવાડીયા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલની આ ભેટ પણ સૌરાષ્ટ્રના લોકો માટે સ્વાસ્થ્ય ક્ષેત્રે ખુબ મોટી ભેટ છે.