શું આપ આપના બાળકોને મોબાઈલ રમવા આપો છો જો મોબાઈલ રમવા આપતા હોય તો ચેતી જજો. બાળકોને મોબાઈલના વ્યસન પર એક સર્વે હાથ ધરવામાં આવ્યો જેમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે.
શું આપ આપના બાળકોને મોબાઈલ રમવા આપો છો
મોબાઈલ રમવા આપતા હોય તો ચેતી જજો
સર્વે હાથ ધરવામાં આવ્યો જેમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા
બાળકના વર્તનની સમસ્યાઓ વધી રહી છે. વિકાસ અને ટેક્નોલોજીના આ બદલાતા યુગમાં મોબાઈલ માનવ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. કોઈ એક ક્ષણ માટે પણ તેને પોતાની પાસેથી છીનવી લેવા માંગતું નથી. આનું પરિણામ એ આવ્યું છે કે આજે નાના બાળકો પણ તેમના માતા-પિતાની દેખરેખમાં આના વ્યસની બની ગયા છે.રાજકોટ મનો વિજ્ઞાન ભવન દ્વારા એક સર્વે હાથ ધરવામાં આવ્યો જેમાં 54% થી વધુ મહિલાઓ ઘરકામ કરતી વખતે પોતાના બાળકોને મોબાઈલ આપી દેતી હોવાનું ચોંકાવનારૂ તારણ બહાર આવ્યું છે.મનોવિજ્ઞાન ભવનના આસી. પ્રોફેસર ડો. ધારા દોષીએ VTV ન્યુઝ સાથે ખાસ વાતચીત કરી હતી અને જણાવ્યું હતું કે માતાપિતા અને પરિવારજનોએ બાળકોને અમુક ઉંમર બાદ જ મોબાઈલ આપવો જોઈએ જેથી તેઓ મોબાઈલના વ્યસની ન બને તેમજ અન્ય રોગોને આમંત્રણ ન આપે.જ્યારે બાળકોમાં મોબાઈલ વપરાશ નો અતિરેક થાય. ત્યારે હતાશા,ચિંતા, ધ્યાનની ખામી, ઓટીઝમ, બાયપોલર ડિસઓર્ડર,અન્ય મનોવિકૃતિ થવાની સંભાવના,શારીરિક વિકાસ ધીમો પડી જાય છે,સ્થૂળતામાં વધારો,રોગો થવાની સંભાવના ,ઊંઘનો અભાવ,ડિજિટલ સ્મૃતિ ભ્રંશ વગેરે રોગો થવાની સંભાવના પણ છે.
મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ના માર્ગદર્શન માં ડો. ડિમ્પલ જે. રામાણી એ 1134 લોકો પર ગૂગલ ફોર્મ તથા ટેલીફોનીક મારફતે સર્વે કરીને તારણો રજૂ કર્યા..
રાજકોટ સૌરાષ્ટ્ર યુનિ.ના સર્વે બાદ અમે પણ કેટલાક મહિલાઓ પાસેથી વાત જાણવા પ્રયત્નો કર્યા હતા.બાદમાં રાજકોટની ગૃહિણીઓએ કબૂલ્યું હતું કે માતા ઘરકામ માટે મહિલાઓ પોતાના બાળકોને રમવા મોબાઈલ આપી દે છે જે હાનિકારક છે તેવું પણ મહિલાઓ કબૂલે છે. તેમજ બાળકો આઉટડોર ગેમ જેવી કે કબડી, ખોખો, ક્રિકેટ, ભાગપટ્ટી આવી બધી ગેમો રમતા બાળકો ભૂલી ગયા છે. તેમજ રાજકોટની ગૃહિણીઓએ VTV સાથે ની વાતચીતમાં હવે બાળકોને ક્યારેય મોબાઈલ નો ઉપયોગ નહિ કરવા દેવા માટે નિયમ લીધો છે. બાળકો માટે મોબાઈલ જ સર્વસ્વ,. 54% માતાઓ પોતાના ઘરકામ માટે બાળકોને મોબાઈલ ગેમ્સ રમવા આપી દે છે.
છોકરાઓની સૌથી વધુ પસંદગીની વસ્તુ મોબાઈલ ફોન.
બાળકના વર્તન સમસ્યાઓ વધી રહી છે. વિકાસ અને ટેક્નોલોજીના આ બદલાતા યુગમાં મોબાઈલ માનવ જીવનનો એક મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. કોઈ એક ક્ષણ માટે પણ તેને પોતાની પાસેથી છીનવી લેવા માંગતું નથી. આનું પરિણામ એ આવ્યું છે કે આજે નાના બાળકો પણ તેમના માતા-પિતાની દેખરેખમાં આના વ્યસની બની ગયા છે, પરંતુ શું તમે જાણો છો કે લાડના કારણે તમે તમારા બાળકના જીવનમાં જે ઉપકરણ દાખલ કર્યું છે, તે પછીથી શારીરિક અને માનસિક સમસ્યાઓનું કારણ બની શકે છે. મોબાઈલ એ એક જરૂરિયાત સાધન છે. કોઈપણ બાબતના બે પાસા હોય છે 1) વિધાયક 2) નિષેધક.
એ જ રીતે મોબાઈલ ફોનના પણ ફાયદા અને ગેરફાયદા છે.આજકાલ મોબાઈલનો ઉપયોગ બાળકોમાં સૌથી વધારે વઘી ગયો છે. બાળકોમાં મોબાઈલની લત ખુબ વધતી જતી જોવા મળી છે જેનાથી તેનું ભવિષ્ય પણ ખોરવાઈ શકે છે. બાળકોનું જીવન જાણે મોબાઈલ વિનાનું અધૂરું. મોબાઈલ વિના બાળકો રહેતા જ નથી. નાનપણથી જ મોબાઈલની જીદ દિવસે દિવસે બાળકોમાં વધતી જાય છે. ગમેતેમ કરી મોબાઈલ આપે તો જ હોમવર્ક કરવું, જમવું વગેરે આ બધી બાબત માતાપિતાને હવે ખુબ અઘરી લાગે છે. માતાપિતાને પણ અફસોસ થાય છે કે બાળકોને ફોન આપ્યા એ અમારી મોટામાં મોટી ભૂલ, પણ શું કરીએ ઓનલાઇન લેક્ચર હતા એટલે ફોન આપવો એ પણ જરૂરી બની ગયું હતું. મોબાઈલને કારણે માતાપિતામા ટેંશન, ચિંતા, મૂંઝવણ જોવા મળે છે. કેટલાક બાળકો પાસેથી મળેલ પ્રશ્નોના જવાબો :-
- 82% બાળકોને મોબાઈલ જ ગમે છે. મોબાઈલ સિવાય બીજું કશું દેખાતું નથી.
- 93% બાળકોને મોબાઈલની સાથે મોબાઈલમા ગેમ્સ રમવી જ ગમે છે આઉટડોર ગેમ્સ બાળકોને પસંદ જ નથી અને મોટાભાગના બાળકોને આઉટડોર ગેમ્સ વિશે ખબર જ નથી.
3) 78% બાળકોને મોબાઈલની સાથે જ જમવાની આદત છે.
4) 82% બાળકો મોબાઈલની સાથે એકલતાનો ભોગ બની ગયા છે.
5) 73% બાળકોને શાળાએ પણ મોબાઈલ યાદ આવે જાણે મોબાઈલ વિના રહી નથી શકતા.
6) 77% બાળકો શાળાએથી ઘરે આવતાની સાથે ફ્રેશ થવાને બદલે મોબાઈલ જ પહેલો હાથમા લે છે.
7) 64% બાળકો ઊંઘમાં પણ મોબાઈલનું રટણ રટે છે.
8) 77% બાળકો મોબાઈલને કારણે સુવાની ટેવ મોડી થતી જોવા મળી.જેને કારણે સવારે શાળાના સમયે વહેલા ઉઠવામાં મોડુ થઇ જાય છે.
9) 89% બાળકો મોબાઈલને કારણે હોમવર્ક કરવામાં આળસ કરે છે.
10) 83% બાળકોમાં મોબાઈલને કારણે આંખોની મુશ્કેલીઓ જોવા મળી.
11) 67% બાળકોમાં મોબાઈલને કારણે બેહુદું વર્તન કરતા શીખી ગયા જોવા મળેલ છે.
મોટાભાગના બાળકો મોબાઇલને પોતાની દુનિયા માની બહારની દુનિયા ભૂલી ગયા છે જે આજના સમયની માતાપિતાની મોટામાં મોટી સમસ્યા છે.
*મોબાઈલને લઈને માતા - પિતાની ફરિયાદો
- મોબાઈલને કારણે બાળકો સરખું જમતા પણ નથી.
- મોડે સુધી મોબાઈલને કારણે જાગ્યા કરે અને ગેમ્સ રમ્યા કરે.
- જેથી બીજે દિવસે સ્કૂલે જવા માટે સવારે ઉઠવામાં પણ પ્રોબ્લેમ.
- મોબાઈલ સાથે એકલા રહેવાનો આગ્રહ.
- કોઈ ડિસ્ટર્બ કરે અથવા તો મોબાઈલ લઇ લેવામાં આવે તો ચીસો પાડવા લાગે, રાડો નાખી ધમપછાડા કરવા લાગે.
- મોબાઈલને કારણે ચશ્માં આવી જવા અને નંબર વઘી જવાની સમસ્યા વઘી ગઈ છે.
- શાળાએથી શિક્ષકોની પણ ફરિયાદો કે ભણવામાં ધ્યાન ન આપવું.
- ક્લાસીસમા ન જવું.
- વર્તનમા પરિવર્તન
*જ્યારે બાળકોમાં મોબાઈલ વપરાશ નો અતિરેક થાય ત્યારે શું થાય છે:*