પીએમ મોદી 17 અને 18 એપ્રિલ 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન પીએમ મોદી રાજ્યની લોકસભાની અલગ અલગ બેઠકો પર સભાને સંબોધન કરશે. પીએમ મોદી હિંમતનગર, સુરેન્દ્રનગર અને આણંદમાં ચૂંટણીલક્ષી જાહેરસભાને સંબોધન કરશે. પ્રવાસના બીજા દિવસે તેઓ કોંગ્રેસના ગઢ અમરેલીમાં સભા સંબોધશે.
લોકસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા એડીચોટીનો પ્રચાર કરવામાં આવી રહ્યો છે. જેને લઇને ફરી એક વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. પીએમ મોદી 17 અને 18 એપ્રિલ 2 દિવસ માટે ગુજરાતના પ્રવાસે આવશે. આ દરમિયાન પીએમ મોદી રાજ્યની લોકસભાની અલગ અલગ બેઠકો પર સભાને સંબોધન કરશે.
પીએમ મોદી 17 એપ્રિલે બપોરે ગુજરાતમાં આવી પહોંચશે. ગુજરાત પ્રવાસ દરમિયાન પહેલા પીએમ મોદી હિંમતનગરમાં જાહેરસભાને સંબોધશે. ત્યાર બાદ તેઓ સુરેન્દ્રનગર અને આણંદમાં ચૂંટણીલક્ષી જાહેરસભાને સંબોધન કરશે. આ સભા સંબોધીને તેઓ રાજભવનમાં રાત્રીરોકાણ કરશે. પ્રવાસના બીજા દિવસે તેઓ કોંગ્રેસના ગઢ અમરેલીમાં સભા સંબોધશે.
લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યની તમામ બેઠકો પર ભાજપ દ્વારા જીતની આશા વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્રની 7 લોકસભા બેઠકોમાંથી 3 બેઠકો ભાજપ માટે પડકાર રૂપ સાબિત થઈ શકે છે. જૂનાગઢ, અમરેલી અને સુરેન્દ્રનગરની બેઠક ભાજપ માટે પડકાર રૂપ સાબિત થઈ શકે છે. આ ત્રણેય બેઠકો પર પીએમ નરેન્દ્ર મોદી સભા સંબોધશે. 17 અને 18 એપ્રિલે સુરેન્દ્રનગર અને અમરેલીમાં PM મોદી સભા કરીને મતદારોને રિઝવવાનો પ્રયાસ કરશે.
લોકસભાની ચૂંટણીનો રાજકીય જંગ જ્યારે દેશભરમાં જોવા મળી રહ્યો છે ત્યારે આગામી 23 તારીખે ગુજરાતમાં યોજાનારી લોકસભા ચૂંટણીને લઇને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વધુ એક વખત ગુજરાતની મુલાકાતે આવશે. ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અગાઉ 17 એપ્રિલના રોજ અમરેલી ખાતે સભાને સંબોધન કરવાના હતા. જો કે તેમના કાર્યક્રમમાં ફેરફાર બાદ હવે 18મીએ અમરેલીમાં ચૂંટણી સભાને ગજવશે.
આમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમરેલીના કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા પરેશ ધાનાણીના ગઢમાં પીએમ મોદી સભાને સંબોધન કરશે. અગાઉ 17 એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગત 10 એપ્રિલના રોજ ગુજરાતની ચૂંટણીલક્ષી મુલાકાતે આવ્યા હતા. 10મીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યમાં બે સભાને સંબોધન કર્યું હતું. જેમાં પીએમ મોદીએ જૂનાગઢ ખાતે ચૂંટણી સભાને સંબોધન કર્યું હતું. જ્યારે પીએમ મોદીએ સોનગઢમાં બારડોલી અને નવસારી લોકસભા વિસ્તાની જનતાને સંબોધન કર્યું હતું.