સૌરાષ્ટ્રના દરિયા કિનારે મંડરાઇ રહેલા 'મહા' વાવાઝોડાંના ખતરાને લઇને તમામ બંદર પર હાઇ અલર્ટ આપી દેવામાં આવ્યું છે. 'મહા' વાવાઝોડું 7 નવેમ્બરે ગુજરાતમાં પ્રવેશે તેવી શક્યતા છે. જો કે વાવાઝોડું માંગરોળથી પોરબંદર વચ્ચે ટકરાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો કે હાલ આ વાવાઝોડાંની ગતિ દરિયામાં ધીમી પડી છે. તેમ છતાં તેની અસરના પગલે રાજ્યભરમાં પવન ફૂંકાય તેવી શક્યતા છે.
કચ્છના જખૌની 155 બોટો દરિયામાં સંપર્ક વિહોણી
રાજકોટમાં મહા વાવાઝોડાંને લઇ તંત્ર અલર્ટ
દ્વારકાના રૂપેણબંદરે 2500 બોટ પરત ફરી
મહા વાવાઝોડાને લઇને જામનગરમાં તંત્ર એલર્ટ
મહા વાવાઝોડાને લઇને જામનગરમાં તંત્ર અલર્ટ થયું છે. જેને લઇને તંત્ર દ્વારા માછીમારી કરવા પરત બોલાવામાં આવ્યાં છે. તંત્રની સૂચના બાદ મોટા ભાગના માછીમારો પરત ફર્યાં છે. જો કે હજુ પણ 25 જેટલી બોટ અરબી સમુદ્રમાં છે ત્યારે તંત્ર અને માછીમાર વિભાગ દ્વારા માછીમારોને પરત બોલાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે.
રાજકોટમાં 'મહા' વાવાઝોડાંને લઇને તંત્ર એલર્ટ
મહા વાવાઝોડાંની રાજ્યભરમાં અસર જોવા મળી રહી છે. હવે રાજકોટમાં 'મહા' વાવાઝોડાંને લઈને કલેક્ટર કચેરીએ કંટ્રોલરૂમ તૈયાર કરાયો છે. તમામ અધિકારીઓની રજાઓ રદ્દ કરવામાં આવી છે.
દ્વારકાના રૂપેણ બંદરે 2500 બોટ પરત ફરી
'મહા' વાવાઝોડાંને લઇને વાતાવરણમાં પલટો આવતાં તંત્ર અલર્ટ થયું છે ત્યારે રૂપેણ બંદરે 4012 દરિયાની બોટને પરત લાવવાના આદેશ આપવામાં આવ્યાં છે. ત્યારે વાતાવરણમાં આવતાં પલટાને લઇને રૂપેણ બંદરે 2500 જેટલી બોટો પર આવી છે.
પોરબંદરમાં મહા વાવાઝોંડને ળઇને 2 નંબરનું સિગ્નલ
'મહા' વાવાઝોડાંને લઈને રાજય ભરમાં તંત્ર એલર્ટ પર છે. ત્યારે પોરબંદરમાં પણ મહા વાવાઝોડાંને લઈને 2 નંબરનું સિંગ્નલ યથાવત રાખવામાં આવ્યું છે. વાવઝોડાંને લઈને માછીમારોને દરિયો ન ખેડવાના સૂચના આપી દેવામાં આવી છે. માછીમારી માટે ગયેલી તમામ બોટ પરત ફરી છે. એક હજાર કરતા પણ વધુ બોટ માછીમારી કરવા ગઈ હતી. તંત્ર દ્વારા આગાહી કરતા તમામ બોટો કિનારે પરત ફરી છે.
અમરેલીના દરિયામાં જોવા મળ્યો કરંટ
'મહા' વાવાઝોડાની અસર અમરેલીના દરિયામાં જોવા મળી રહી છે. અમરેલીના જાફરાબાદ અને પીપાવાવના દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યાં છે. જ્યારે દરિયામાં હળવો કરંટ જોવા મળ્યો છે. જાફરાબાદ બંદરની 700 આસપાસની બોટને પરત બોલાવી લેવામાં આવી છે.