રાજકોટઃ સૌરાષ્ટ્રના સૌથી મોટા લોકમેળાનું નામ જાહેર કરવામાં આવ્યું છે. રાજકોટના લોકમેળાને 'ગોરસ લોકમેળો' નામ આપવામાં આવ્યું છે. લોકમેળાના નામ માટે 700થી વધુ નામ આવ્યા હતા. 1 સપ્ટેમ્બરથી 5 સપ્ટેમ્બર સુધી 5 દિવસ ગોરસ મેળો ચાલશે.
આ મેળો છઠ્ઠથી શરૂ થયા છે અને દશમના દિવસે પૂર્ણ થયા છે. ત્યારે સૌરાષ્ટ્રના પાટનગર એવા રાજકોટમાં સમગ્ર પંથકના લોકો ઉત્સાહભેર અહીંના મેળામાં મજા માણવા પહોંચે છે. અહીં લાખોની સંખ્યામાં લોકો આવે છે અને મેળાની મજા માણે છે.
જો કે લોકો અહીં અવનવી રાઈડસમાં બેસવાનો આનંદ લૂંટે છે. ખાણી-પીણી અને રમકડાંના ધંધાર્થીઓ આ ગોરસ મેળોમાં પહોંચે છે. આ મેળા દરમિયાન દીવ સોમનાથ સાસણ દ્વારકા ચોટીલા આબુ ગોવા સહિતના સ્થળોએ હોટલો હાઉસ ફૂલ થઈ જાય છે.