સૌરાષ્ટ્રના રાજકારણના સૌથી મોટા સમાચાર, ભાજપના આ બે પૂર્વ મંત્રી કોંગ્રેસના સંપર્કમાં, સાઇડલાઇન થતાં છે નારાજ
સૌરાષ્ટ્રનો રાજકીય માહોલ 'ગરમ'
ભાજપના બે પૂર્વ મંત્રી કુંવરજી અને પરસોત્તમ સોલંકી કોંગ્રેસના સંપર્કમાં
ચૂંટણી પહેલા કોંગ્રેસ હાલ ગુજરાતમાં એક બાદ એક સમાજ આધારિત રાજકીય સમીરકણો ગોઠવી મજબૂતાઈ ઉતારવાની ફિરાકમાં છે. નરેશ પટેલના કોંગ્રેસમાં આગમનની વાત વચ્ચે ગુજરાતમાં અને ખાસ કરીને સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલમાં સંકેત મળી રહ્યા છે.
સૌરાષ્ટ્રના રાજકારણમાં મોટો ઊથલો
સૌરાષ્ટ્રમાં ભાજપને મોટો ફટકો પડે તેવી શક્યતા છે. સૂત્ર દ્વારા મળતી માહિતી મુજબ કોંગ્રેસ સાથે છેડો ફાડી મંત્રીની સીટ પર બેસનાર કુંવરજી બાવળીયા હવે ફરી કોંગ્રેસનો હાથ પકડી શકે છે. તે ઉપરાંત સૌરાષ્ટનો બીજો મોટો ચહેરો પરસોતમ સોલંકી પણ ભાજપ છોડી કોંગ્રેસમાં ભળી શકે તેવા વરતારા દેખાઈ રહ્યા છે.
સૌરાષ્ટ્રના નેતાની મદદથી રઘુ શર્મા સાથે થઇ ટેલિફોનિક વાતઃ સૂત્ર
કુંવરજી અને પરસોત્તમ સોલંકી કોંગ્રેસના નેતાઓના સંપર્કમાં છે તેવી વાત સૂત્રો દ્વારા મળી રહી છે. આ બંને નેતાઑને ભાજપમાં સાઈડલાઈન કરવામાં આવતા પાર્ટીથી નારાજ ચાલી રહ્યા છે .તેથી સૌરાષ્ટ્રના નેતાઓની મદદથી રઘુ શર્મા સાથે ટેલિફોનિક વાત થઇ ગઈ છે. જો નરેશ પટેલ, કુંવરજી અને પરસોત્તમ સોલંકી કદાચ કોંગ્રેસમાં જોડાય તો સૌરાષ્ટ્રમાં ભાજપનો ખેલ ઊંધો પડી શકે તેમ છે.
કોંગ્રેસ હાલ ગુજરાતમાં નરેશ પટેલથી પાટીદાર મત, કુંવરજી બાવળીયા અને પરસોતમ સોલંકીના કોળી મતને પાક્કા કરવાની ફિરાકમાં છે જો આ ત્રણેય નેતાઑ કોંગ્રેસમાં જોડાયતો મતોનું ધ્રુવીકરણ પાક્કું માનવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ આદિવાસી નેતા છોટુ વસાવાના પણ સંપર્કમાં કોંગી નેતાઓ હોવાની વાતો થઈ રહી છે.