સૌરાષ્ટ્રમાં વધુ બેઠકો જીતવા માટે ભાજપ, કોંગ્રેસ મજબુતાઈથી મહનેત કરી રહી છે. ત્યારે આજે PM મોદી અને કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી ગુજરાતમાં અનેક સ્થળોએ સભા ગજવશે.
ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી દ્વારા તમામ મોરચે તૈયારી આરંભી દેવાંમાં આવી છે. ગુજરાતનો ગઢ જીતવા કોઈ પણ પાર્ટી કાચું કાપવા તૈયાર ન હોવાથી ગુજરાતનો જંગ હવે રોચક બન્યો છે. ભાજપ, કોંગ્રેસ અને આપ માટે આ સત્તા, શાસન ને અસ્તિત્વ તથા એન્ટ્રી અકબંધ રાખવાનો આ જંગ છે. ત્યારે ગુજરાત સર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મેદાનમાં ઉતર્યા છે. તો કોંગ્રેસના રાહુલ ગાંધી અને આપના સર્વેસર્વા અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પણ આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારમાં PM મોદી જનસભા સંબોધી છે. સૌરાષ્ટ્ર પર ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીની બાઝ નજર છે.
મોદી સુરેન્દ્રનગર ખાતે જાહેર સભા સંબોધશે
આજે PM મોદી ચૂંટણી સભાને સંબોધશે. જેમાં સવારે 11 વાગ્યે રાજભવનથી સુરેન્દ્રનગર જવા રવાના થશે. ત્યારબાદ 12 વાગ્યે સુરેન્દ્રનગર ખાતે જાહેર સભા સંબોધશે. વધુમાં 1 વાગ્યે સુરેન્દ્રનગરથી જંબુસર જવા રવાના થશે અને 2 વાગ્યા બાદ જાંબુસરમાં જાહેરસભા ગજવશે. જ્યાં 3 વાગ્યે નવસારી જવા રવાના થશે. આ દરમિયાન નવસારીમાં સભા યોજી 5 વાગે નવસારીથી સુરત એરપોર્ટથઇ PM મોદી દિલ્હી રવાના થશે.
રાહુલ ગાંધી ભાજપનાં ગઢમાં ગજવશે સભા
ગત વિધાનસભાના પરિણામ પરથી શીખ લઇ બંને પક્ષો મહેનતમાં લાગી ગયા છે. જે વિસ્તારમાં ગત ચુંટણીમાં થાપ પડી હતી. તે વિસ્તારમાં પાણી પહેલા પાળ બાંધી અત્યારથી મહેનત શરુ કરી દેવામા આવી છે. ત્યારે જે વિસ્તારમાં ગત ચુંટણીમાં કોંગ્રેસને નુકસાન થયું હતું તે વિસ્તારમાં રાહુલ ગાંધી પ્રચાર માટે મેદાને ઉતરવાના છે. જેમાં ભાજપના ગઢ રાજકોટ અને અમરેલી કોંગ્રેસનો ગઢ જાળવી રાખવા માટે રાહુલ ગાંધી આ બે સ્થળોએ સભા ગજવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ કોંગ્રેસ એક્શનમા આવી છે. કોંગ્રેસ નેતા રાહુલ આજે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. રાહુલ ગાંધી સુરતના મહુવામાં સભા સંબોધશે. મહુવામાં બપોરે જનસભાનું આયોજન કરાયું છે. ત્યારબાદ રાહુલ ગાંધી રાજકોટમાં પણ સભાને સંબોધશે.