સૌરાષ્ટ્રમાં અને કચ્છના પશુપાલકો માટે સૌથી આનંદના સમાચાર આવ્યાં છે. અમૂલ ફેડરેશનના વાઇસ ચેરમેન વાલમજી હુંબલે કહ્યું છે કે રાજકોટ શહેરના જામનગર રોડ પર અમૂલ દૂધનો પ્લાન્ટ શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
સૌરાષ્ટ્ર-કચ્છના પશુપાલકો માટે આનંદના સમાચાર
રાજકોટ નજીક અમૂલ દૂધનો પ્લાન્ટ સ્થપાશે
અમૂલ ફેડરેશનના વાઈસ ચેરમેન વાલમજી હુંબલનું નિવેદન
સૌરાષ્ટ્ર-કચ્છના પશુ પાલકો માટે આનંદના સમાચાર છે. સૌરાષ્ટ્ર-કચ્છના પશુ પાલકો માટે રાજકોટ નજીક અમૂલ દૂધનો પ્લાન્ટ શરૂ કરવાનો નિર્ણય કરાયો છે.
આ મામલે અમુલ ફેડરેશનનાં વાઇસ ચેરમેન વાલમજી હુંબલે નિવેદન આપ્યું કે, જામનગર રોડ પર પ્લાન્ટ સ્થાપવાથી પશુપાલકોને ફાયદો થશે.
આ માટે સરકારમાં જમીન મંજૂરી માટે રજૂઆત કરાઇ છે. અમૂલ દૂધના પ્લાન્ટમાં રોજ 25થી 30 લાખ લીટર દૂધ પ્રોસેસિંગ થશે. દુધ ઉત્પાદકોનો ટ્રાન્સપોર્ટ ટાઇમ અને ખર્ચ બચશે.