ભારતના અંડર-19ના પૂર્વ કેપ્ટન અને 2019-20 સીઝનમાં રણજી ટ્રોફી જીતનારી ટીમના ખેલાડી અવિ બારોટનું અંદાજે 29 વર્ષની ઉંમરે નિધન થયુ છે.
ભારતના અંડર-19ના પૂર્વ કેપ્ટન અવિ બારોટનું 29 વર્ષની ઉંમરે નિધન
હાર્ટ એટેકના કારણે આ વિકેટ કીપરનું થયુ નિધન
BCCI ના સેક્રેટરી જય શાહ સહિત તમામ લોકોએ શોક દર્શાવ્યો
હાર્ટ એટેકના કારણે આ વિકેટ કીપરનું નિધન થયુ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશને આ સમાચારની પુષ્ટિ કરી છે. જેના કારણે ક્રિકેટ જગત શોકમાં ગરકાવ થયુ છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના સેક્રેટરી જય શાહ સહિત તમામ લોકોએ દુ:ખ દર્શાવ્યું છે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં શોકનો માહોલ
એસોસિએશને જણાવ્યું કે કારકિર્દીમાં હરિયાણા અને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારા આ ખેલાડીનું શુક્રવારે હાર્ટ એટેકથી નિધન થયુ છે. સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં દરેક ક્રિકેટર બારોટના ચોંકાવનારા મૃત્યુના સમાચારથી ખૂબ જ સ્તબ્ધ અને દુ:ખી થયો છે. તેઓ જમોણી બેટ્સમેન હતા, જે ઓફ બ્રેક પણ રમી શકતા હતા. બારોટે 38 પ્રથમ શ્રેણી મેચ, 38 લિસ્ટ એ મેચ અને 20 ડોમેસ્ટિક ટી-20 મેચ રમી છે. તેઓ એક વિકેટ કીપર અને બેટ્સમેન હતા. તેમણે પ્રથમ શ્રેણીની મેચોમાં 1547 રન બનાવ્યા હતા. લિસ્ટ એની મેચમાં તેમણે 1030 રન અને ટી-20 મેચમાં 717 રન બનાવ્યાં.
અવિ બારોટે સૌરાષ્ટ્ર માટે 21 રણજી ટ્રોફી મેચ રમી હતી
બારોટ રણજી ટ્રોફી જીતનારી સૌરાષ્ટ્ર ટીમનો ભાગ હતા. જે બંગાળને હરાવીને ચેમ્પિયન બની હતી. સૌરાષ્ટ્ર માટે તેમણે 21 રણજી ટ્રોફી મેચ, 17 લિસ્ટ એ મેચ અને 11 ટી-20 ડોમેસ્ટિક મેચ રમ્યા હતા. અવિ બારોટ 2011માં ભારતના અંડર-19ના કેપ્ટન હતા અને ચાલુ વર્ષની શરૂઆતમાં તેમણે ગોવાની સામે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી મેચ દરમ્યાન ફક્ત 53 બોલમાં 122 રનની સારી ઈનિંગ રમી હતી.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશનમાં શોકનો માહોલ
એસસીએ અધ્યક્ષ જય શાહે બારોટના નિધન પર શોક દર્શાવ્યો. તેમણે કહ્યું, અવીનું નિધન ચોંકાવનારું અને દુ:ખદ છે. તેઓ સારા ખેલાડી હતા અને તેમની પાસે સારું ક્રિકેટ કૌશલ હતુ. તેઓ ખૂબ મિલનસાર સ્વભાવના અને ઉમદા વ્યક્તિત્વવાળા હતા. અવિના નિધનથી સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન આઘાતમાં છે.