રાજ્યભરમાં સરકાર દ્વારા ફરી એક વખત ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે હવે અમરેલી, જામનગર, જૂનાગઢ અને પોરબંદરમાં મગફળીની ખરીદીનો પ્રારંભ થઇ ગયો છે. અમરેલીની મગફળી ખરીદીમાં ખેડૂતોની નિરસતા જોવા મળી છે. 11 કેન્દ્રમાં ખેડૂતોની નહીંવત હાજરી જોવા મળી.
મગફળી ખરીદીમાં ખેડૂતોની જોવા મળી નિરસતા
ખેડૂતોની ભેજવાળી મગફળી થઇ રિજેકટ
પોરબંદરમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ
મગફળી ખરીદીમાં ખેડૂતોની નિરસતા જોવા મળી
રાજ્યમાં કમોસમી વરસાદ બાદ ફરી ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવી છે. ત્યારે સૌરાષ્ટ્રના ખેડૂતો દ્વારા મગફળીની ખરીદીમાં નિરસતા જોવા મળી છે. જેમાં 11 કેન્દ્રોમાં ખેડૂતોની પાંખી હાજરી જોવા મળી. જેમાં સાવરકુંડલા, અમરેલી, લાઠી સહિતના માર્કેટ યાર્ડમાં ખેડૂતો ઓછી માત્રામાં આવી રહ્યાં હોવાનું જોવા મળી રહ્યું છે.
જામનગરમાં 180 ખેડૂતોને SMSથી કરાઇ હતી જાણ
જામનગરમાં તંત્ર દ્વારા 180 ખેડૂતોને ટેકાના ભાવે મગફળી વેચવાનો SMS કરવામાં આવ્યો હતો. જો કે તેમ છતા આજે માત્ર 25 જેટલા ખેડૂતો મગફળી વેચવા માટે પહોંચ્યા હતા.
જૂનાગઢમાં ખેડૂતોની ભેજવાળી મગફળી થઇ રિજેક્ટ
જૂનાગઢમાં ખેડૂતોની ભેજવાળી મગફળી રિજેક્ટ કરવામાં આવી હતી. કમોસમી વરસાદ બાદ પણ નિયમોમાં છૂટછાટ આપવામાં આવી ન હતી. જેથી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો. જ્યારે માલ રિજેક્ટ થતાં ખેડૂતોએ 700 રૂપિયામાં મગફળી વહેંચી હતી.
પોરબંદરમાં 50માંથી 4 ખેડૂતો મગફળી વેંચવા આવ્યાં
આ ઉપરાંત પોરબંદરમાં પણ ખેડૂતોમાં રસ જોવા મળ્યો નહોતો. જેમાં પ્રથમ દિવસે તંત્ર દ્વારા 50 જેટલાં ખેડૂતોને બોલાવવામાં આવ્યા હતા. જોકે માત્ર 4 ખેડૂતો જ મગફળી વેંચવા માટે પહોંચ્યા હતા. જેમાં 4માંથી એક ખેડૂતની મગફળી રિજેક્ટ કરાઈ હતી.