એક તરફ દેશમાં ચૂંટણીનો માહોલ છે તો બીજી તરફ ખેડૂતોમાં રોષ છે. ચૂંટણીના માહોલ વચ્ચે હવે ખેડૂતો પણ પોતાના પ્રશ્નોને લઈને સરકાર સામે લડી લેવાના મુડમાં છે. રાજકોટમાં પણ આવો જ માહોલ જોવા મળ્યો હતો.
એક તરફ દેશમાં ચૂંટણીનો માહોલ છે તો બીજી તરફ ખેડૂતોમાં રોષ છે. ચૂંટણીના માહોલ વચ્ચે હવે ખેડૂતો પણ પોતાના પ્રશ્નોને લઈને સરકાર સામે લડી લેવાના મુડમાં છે. રાજકોટમાં પણ આવો જ માહોલ જોવા મળ્યો હતો. ખેડૂતોએ પોતાની માગણીઓ સાથે જંગી રેલી તો યોજી હતી. પરંતુ ક્યાંકને ક્યાંક તેને પણ દબાવી દેવાની કોશિશ કરાઈ. જાણો કેવી રીતે?
કોન હમારા સુખ દાતા... ધરતી ગંગા ગૌ માતા...ના નાદ સાથે આજે રાજકોટમાં અન્નદાતાનો આક્રોશ જોવા મળ્યો હતો. હજારોની સંખ્યામાં ખેડૂતો રસ્તા પર જોવા મળ્યા હતા. પોતાની માંગણીઓ સાથે સરકાર સામે બાથ ભીડવાનો પ્રયત્નો કર્યા છે. હાલ દેશમાં ચૂંટણીનો માહોલ છે, ત્યારે ખેડૂતો પણ સરકાર સામે લડી લેવાના મૂડમાં છે. પાક વિમા મુદ્દે કિસાન સંઘ દ્વારા એક રેલીનું આયોજન કરાયું હતું.
જેમાં સૌરાષ્ટ્રભરમાંથી હજારો ખેડૂતો દોડી આવ્યા હતા અને એક જંગી રેલી યોજી જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું. જોકે આ દરમિયાન પોલીસ સાથે ઘર્ષણ પણ થયું હતું. જેમાં 35થી વધુ ખેડૂતોની અટકાયત કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, પોતાની સાથે થઈ રહેલા અન્યાયને લઈને ખેડૂતો હવે ઈચ્છામૃત્યુની માગણી પણ કરી રહ્યા છે. કારણ કે, તેમના પ્રશ્નો જાણે સરકાર સાંભળવા માટે તૈયાર જ નથી. આવા જ કેટલા વિસ્તારોની વાત કરવામાં આવે તો.. પડધરીમાં 100 ટકા અછત જાહેર કરેલ હોવા છતાં 0 ટકા વીમો ખેડૂતોને મળ્યો છે.
બીજી તરફ ધોરાજીમાં અર્ધઅછત જાહેર કરેલ હોવા છતાં 0 ટકા વીમો મળ્યો છે. રાજકોટમાં માત્ર 18.67 ટકા ખેડૂતોને વીમો મળ્યો છે. આવા અનેક તાલુકાઓ છે. જ્યાંના ખેડૂતોને પાક વિમો જ નથી મળ્યો છે. તો પછી ખેડૂતોના કરોડો રૂપિયાના પ્રિમિયમનું શું? કોણ ખાઈકી કરી ગયું કરોડોનું પ્રિમિયન આવા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જેનો સરકારે જવાબ આપવો જ પડશે.