આગામી રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં ભંગાણ પડી શકે છે. કોંગ્રેસના બે ધારાસભ્યો ચૂંટણી પહેલા પક્ષને રામરામ કરે તેવી ચર્ચાએ જોડ પકડ્યું છે. ટુંક સમયમાં કોંગ્રેસના 2 ધારાસભ્યો પક્ષને રામરામ કરે તેવી શક્યતા છે.
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં પડી શકે ભંગાણ
ફરી એકવાર કોંગ્રેસમાં પડી શકે છે ગાબડું
ટુંક સમયમાં કોંગ્રેસના 2 ધારાસભ્યો પક્ષને કરશે રામરામ
રાજ્યમાં 26 માર્ચે રાજ્યસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા ભાજપના ટાર્ગેટ પર કોંગ્રેસના કેટલાક ધારાસભ્યો છે. ભાજપ ત્રણ બેઠક કબજે કરવા માટે તનતોડ મહેનત કરી રહ્યું છે. મળતી માહિતી અનુસાર હાલ સૌરાષ્ટ્રના 2 ધારાસભ્યો ભાજપના સંપર્કમાં હોવાની ચર્ચા ચાલી રહી છે. આ બંને ધારાસભ્યો ટુંક સમયમાં જ કોંગ્રેસનો હાથ છોડી ભાજપમાં જોડાઇ શકે છે. તો રાજ્યસભા ચૂંટણી પહેલા અન્ય વધુ કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જઇ શકે છે.
કોંગ્રેસના ધારાસભ્યોને ભાજપમાં લાવવાની જવાબદારી એક મંત્રીને સોંપાઈ હોવાની ચર્ચા થઇ રહી છે. કોંગ્રેસના 7 પૈકી 3 ધારાસભ્ય એક સમાજના અન્ય બે ધારાસભ્યને મંત્રી મંડળમાં સ્થાન આપવાની પણ ચર્ચાએ જોર પકડ્યુ છે. જ્યારે બે ધારાસભ્યોને બોર્ડ નિગમમાં ચેરમેન તરીકે નિમણૂંક પણ ચર્ચા કરવામાં આવી રહી છે.