રાજકોટઃ પૂર્વ મેયર અશોક ડાંગર અને શ્યામજી ચૌહાણ કોંગ્રેસમાં જોડાયા છે. પ્રભારી સાતવ અને પ્રમુખ ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા છે. બન્ને સૌરાષ્ટ્રના દિગ્ગજ નેતાઓ છે. અશોક ડાંગરનું માનીએ તો ભાજપમાં તેમની અવગણના થતી હતી. જેથી તેમણે ફરીથી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો છે. જો કે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સભ્ય સોમાભાઈ કોંગ્રેસમાં જોડાયા છે.
તો આ મામલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું કે બે આગેવાનો સાથે અનેક કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. તો કોંગ્રેસમાં જોડાયા બાદ શ્યામજી ચૌહાણે ભાજપ પર આક્ષેપ કરતાં કહ્યું કે ભાજપમાં ધારાસભ્યોના સારૂ મંત્રીપદ અપાતું નથી.
સાથે જણાવ્યું કે તાલુકા જિલ્લા પંચાયતમાં પણ કોળી સમાજના નેતાઓ સાથે અન્યાય થાય છે. શામજી ચૌહાણે કુંવરજી બાવળિયા પર પ્રહાર કરતાં કહ્યું કે કોંગ્રેસના નેતાને લઈ જઈને ભાજપે મંત્રી બનાવ્યા છે. આગામી ચૂંટણીમાં જોવા મળશે કે સમાજ કોને વિજેતા બનાવશે.
કોંગ્રેસ પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ અને પ્રમુખ અમિત ચાવડાએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. જે દરમિયાન શામજી ચૌહાણ અને અશોક ડાંગરે પણ નિવેદન આપ્યું હતું.