ગુજરાતમાં માટે હાલ રાહતના સમાચાર છે. વાયુ વાવાઝોડું ઓમાન તરફ આગળ વધી રહ્યું છે. હાલ ગુજરાતની દરિયાઈ સીમાથી વાયુ વાવાઝોડું 160થી 170 કિમી દુર છે. ધીમે-ધીમે વાયુ વાવાઝોડું ગુજરાતથી દૂર જઈ રહ્યું છે. વાવાઝોડું હાલ ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે.
હવામાન વિભાગનું કહેવું છે કે, દરિયા કિનારાઓ પર 2 દિવસ સુધી સ્થિતિ યથાવત રહેશે. અમદાવાદ સહિતના મધ્યગુજરાતમાં વરસાદ પડવાની સંભાવના છે. ત્યારે સૌરાષ્ટ્ર તરફ જતી વિમાની સેવા પુનઃ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાતમાં વાયુ વાવાઝોડાનું સંકટ દૂર થયુ છે. જેને લઈને સૌરાષ્ટ્ર તરફ જતી વિમાની સેવા પુન: શરૂ કરવામાં આવી છે. મળતી માહિતી મુજબ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાની સમીક્ષા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં કેશોદ અને કંડલા એરપોર્ટ પર રાતે 12 વાગ્યાથી રૂટ શરૂ કરાયા છે. તો ભાવનગર એરપોર્ટ પર સવારે 6 વાગ્યથી વિમાની સેવા શરૂ કરાઈ છે. જ્યારે દિવ અને પોરબંદર એરપોર્ટ પર સવારે 10 વાગ્યાથી વિમાની સેવાઓ શરૂ કરવામાં આવશે.
Airports Authority of India (AAI): Normal flight operations to resume at Diu & Porbandar airports (Gujarat) from 10 am tomorrow. #CycloneVayuhttps://t.co/qUKz9oOLRf
સૌરાષ્ટ્રમાં વિમાની સેવા રોકાઈ હતી
ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ વાયુ વાવાઝોડાના સંકટને લઇને પોરબંદર, દીવ, ભાવનગર, કંડલા વિસ્તારમાં વિમાની સેવા બંધ કરી દિધી હતી. ત્યારે સંકટ દૂર થતા ફરી વિમાની સેવા શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.