દારૂ ઘોટાળાનાં આરોપી મનીષ સિસોદિયા અને મની લોન્ડેરિંગ કેસના આરોપી જેલમાં બંધ સત્યેન્દ્ર જૈનનાં રાજીનામા બાદ ખાલી પદ પર સૌરભ ભારદ્વાજ અને આતિશી માર્લેનાએ આજે શપથ લીધી.
કેજરીવાલ કેબિનેટમાં નવા 2 મંત્રીઓ જોડાયા
ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાની હાજરીમાં લેવાઈ શપથ
સૌરભ ભારદ્વાજ અને આતિશી બન્યાં નવા મંત્રીઓ
દિલ્હીમાં અરવિંદ કેજરીવાલ સરકારનાં કેબિનેટમાં હવે નવા ચહેરાઓ આવી ગયાં છે. આમ આદમી પાર્ટી સરકારને સૌરભ ભારદ્વાજ અને આતિશીનાં રૂપમાં 2 નવા મંત્રીઓ મળી ગયાં છે. દારૂ ઘોટાળામાં પકડાયેલા મનીષ સિસોદિયા અને મની લોન્ડેરિંગ કેસમાં જેલમાં બંધ સત્યેંદ્ર જૈનની ખાલી જગ્યા હવે ભરાઈ ગઈ છે.
AAP MLAs Atishi and Saurabh Bharadwaj were sworn in as Delhi ministers in the presence of Delhi LG VK Saxena and CM Arvind Kejriwal today pic.twitter.com/eutDlDS8LX
નવા 2 મંત્રીઓને મળ્યાં આ વિભાગો
આ પદો માટે 2 વિધાયકો જોડાયા છે. AAPનાં રાષ્ટ્રીય પ્રવક્તા સૌરભ ભારદ્વાજ ગ્રેટર કૈલાશ સીટથી વિધાયક છે. તે કેજરીવાલની પહેલી સરકારમાં મંત્રી રહી ચૂક્યાં છે. તો આતિશી કાલકાઝી સીટથી વિધાયક છે. સૌરભ ભારદ્વાજને કેબિનેટમાં આરોગ્ય વિભાગ મળ્યો છે જ્યારે આતિશીને દિલ્હીનાં શિક્ષણ મંત્રી બનાવવામાં આવ્યાં છે. એટલું જ નહીં, આતિશીને પાવર,PWD અને ટૂરિઝમ વિભાગનાં મંત્રી પણ બનાવવામાં આવ્યાં છે. જ્યારે સૌરભ ભારદ્વાજને આરોગ્ય વિભાગ સિવાય, શહેરી વિકાસ અને પાણી પુરવઠાનો ડિપાર્ટમેન્ટ પણ સોંપવામાં આવ્યો છે.
આતિશીએ નવા મંત્રી તરીકે લીધી શપથ
આતિશી માર્લેનાએ કેજરીવાલ કેબિનેટમાં નવા મંત્રીનાં રૂપમાં પદ અને ગોપનીયતાની શપથ લીધી. આ સાથે જ આપનાં પ્રવક્તા અને વિધાયક સૌરભ ભારદ્વાજે પણ શપથ લીધી. ઉપરાજ્યપાલ વી.કે.સક્સેનાએ આમ આદમી પાર્ટીનાં આ વિધાયકોને શપથ લેવડાવી હતી.
એક દશક બાદ મહિલા મંત્રી
આતિશી આશકે એક દશક બાદ કેજરીવાલ કેબિનેટની પહેલી મહિલા મંત્રી બની છે. આ પહેલા AAPની 49 દિવસની સરકારમાં રાખી બિડલાને મંત્રી બનાવવામાં આવ્યાં હતાં. કેજરીવાલે પહેલીવાર 2013માં કોંગ્રેસની સત્તા છીનવીને સરકાર બનાવી હતી. ત્યારે કોંગ્રેસ સરકારની મુખ્યમંત્રી શીલા દીક્ષિત હતી. તેમની કેબિનેટમાં કિરણ વાલિયા અને કૃષ્ણા તીરથ જેવી મહિલા મંત્રીઓ હતી. 49 દિવસની સરકાર બાદ AAP 2 વખત પૂર્ણ બહુમતથી જીતી હતી પરંતુ અત્યારસુધી કોઈ પણ મહિલા વિધાયકને મંત્રી નહોતું બનાવાયું..