સંઘર્ષગ્રસ્ત યમનમાં સાઉદી અરબ અને હૂતી વિદ્રોહીઓની વચ્ચે તણાવ વધતો જઈ રહ્યો છે. શનિવારે મોડી રાતે કરવામાં આવેલી એર સ્ટ્રાઈકમાં 31 લોકોના મોત નિજ્યા છે. કેવી રીતે આ એર સ્ટ્રાઈક કરવામાં આવી છે.
સાઉદી અરબે ગત મોડી રાતે એર સ્ટ્રાઈક કરી
હૂતી બળવાખોરોએ આ પહેલા સાઉદીનું ફાઈટર પ્લેન ધ્વસ્ત કર્યું હતું
એર સ્ટ્રાઈકનો કાટમાળ હજું યથાવત
સાઉદી અરબ અને હુતી બળવાખોરો વચ્ચે તણાવ વધ્યો
સાઉદી અરબે પોતાનું વિમાન તુટ્યા બાદ ભારતીય સમયાનુસાર શનિવારે મોડી રાતે સંઘર્ષગ્રસ્ત યમન પર એર સ્ટ્રાઈક કરી હતી. એએનઆઈના જણાવ્યાનુંસાર આ હુમલામાં 31 લોકોના મોત નિપજ્યાં છે. તેમજ આ વિસ્તારમાં સાઉદી અરબ અને હુતી બળવાખોરો વચ્ચે તણાવ વધ્યો છે.
ક બીજા પર વાર કરી રહ્યાં છે
મીડિયા રિપોર્ટ મુજબ, શુક્રવારે હૂતી બળવાખોરોએ સાઉદી અરબના ફાઈટર પ્લેનને જે જગ્યાએ ધ્વસ્ત કર્યું હતું. તે જ જગ્યાએ શનિવારે મોડી રાતે સાઉદી અરબે એરસ્ટ્રાઈક કરી છે. તેમજ મીડિયા રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે જે જગ્યાએ એર સ્ટ્રાઈક કરવામાં આવી છે. ત્યાંથી કાટમાળ હજુ પણ યથાવત છે અને તેને જોવા લોકોની ભીડ ઉમટી છે. બન્ને એક બીજા પર વાર કરી રહ્યાં છે.
Saudi-led airstrikes on Yemen kill 31 people after jet crash, reports AFP news agency quoting United Nations
ઉલ્લેખનીય છે કે શુક્રવારે યમનમાં હૂતી બળવાખોરોએ સાઉદી અરબના ફાઈટર પ્લેનને ધ્વસ્ત કર્યાની જવાબદારી સ્વીકારી હતી. જોકે રિયાદના નેતૃત્વવાળા આર્મીએ આ દાવો નકારી દીધો હતો.
પાયલટ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો કે નહીં
આર્મી સંગંઠને કહ્યું કે વિમાન યમન સરકારની મદદ માટે ઓપરેશન પર હતું પરંતું તે ઉત્તરી અલ- જાવફ પ્રાંતમાં દુર્ઘટનાગ્રસ્ત થઈ ગયું હતું. જોકે સંગઠને ઘટનાનું કારણ નહોતુ જણાવ્યું. તેમજ એમ પણ સ્પષ્ટ નહોતું કર્યું કે પાયલટ પોતાનો જીવ બચાવવામાં સફળ રહ્યો કે નહીં.