સાઉદી અરબના વિદેશ મંત્રી આ અઠવાડિયાના અંતમાં ભારત પ્રવાસે આવી શકે તેવી શક્યતા છે. ત્યારે જાણો કયા મુદ્દા પર થશે ચર્ચા.
સાઉદી અરબના વિદેશ મંત્રી ભારતના પ્રવાસે આવશે
અફઘાનિસ્તાનને લઈને થશે ચર્ચા
પ્રિન્સ ફૈસલ અજીત ડોવાલ સહિત અનેક મંત્રીઓ સાથે કરશે બેઠક
સાઉદી અરબના વિદેશ મંત્રી ભારતના પ્રવાસે આવશે
સાઉદી અરબના વિદેશ મંત્રી પ્રિન્સ ફૈસલ બન ફરહાન અલ સઉદ આ અઠવાડિયાના અંતમાં ભારત પ્રવાસે આવી શકે તેવી શક્યતા છે. ત્યારે તેમની સાથે અફઘાનિસ્તાન સંકટ અંગે ચર્ચા થવાની શક્યતા છે. મધ્ય પૂર્વમાં ભારતના લગભગ સહયોગી, સાઉદી અરબ અને સંયુક્ત અમીરાત અફઘાનિસ્તાનની સુરક્ષા અસરો અને તાલિબાન શાસનની સાથે વૈશ્વિક જિહાદી નેટવર્કના સંબંધોને લઈને ચિંતિત છે.
આ 3 દેશોની તાલિબાન સરકાર માટેની ભૂમિકાને લઈને ચિંતા
બન્ને દેશો કતાર, તુર્ક અને પાકિસ્તાનની સુન્ની ઈસ્લામી શાસનમાં સામેલ કરવામાં સક્રિય ભૂમિકાથી ત્રસ્ત છે. જો કે આ પહેલા પીએમ નરેન્દ્ર મોદી 3 સપ્ટેમ્બરે ટેલીફોન પર ક્રાઉન પ્રિન્સ શેખ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાનની સાથે અફઘાનિસ્તાની સ્થિતિ પર ચર્ચા કરી હતી અને સાથે વિદેશ મંત્રી એસ જયશંકરે 30 ઓગસ્ટે સંયુક્ત અરબ અમીરાતના રાષ્ટ્રપતિના રાજકીય સલાહકાર ડો. અનવર ગર્ગશ સાથે કાબુલ સંકટ પર ચર્ચા કરી હતી.
પ્રિન્સ ફૈસલ અજીત ડોવાલ સહિત આ લોકો સાથે કરશે બેઠક
આ સંદર્ભમાં સાઉદી વિદેશ મંત્રીનો 19 સપ્ટેમ્બરે ભારતના આવવાનો કાર્યક્રમ છે. પ્રિન્સ ફૈસલના વિદેશ મંત્રી જયશંકર, રાષ્ટ્રીય સુરક્ષ સલાહકાર અજીત ડોવાલની સાથે બેઠક કરવા અને પીએમ મોદી સાથે મુલાકાત કરવાની આશા છે. જયશંકર આવનારા દિવસોમાં UNGA અને QUAD શિખર સંમેલન માટે ન્યૂયોર્ક રવાના થશે. ઉલ્લેખનીય છે કે આંતરરાષ્ટ્રીય સમુદાય માટે આ બિલકુલ સ્પષ્ટ છે કે વર્તમાન તાલિબાન શાસનને પાકિસ્તાન આઈએસઆઈનો પૂર્ણ સૈન્ય અને રાજનીતિક સમર્થન પ્રાપ્ત છે. જેના પ્રમુખ કાબુલમાં સરકાર બનાવવામાં કિંગ મેકરની ભૂમિકા નિભાવી શકે છે.