કતર સાથે વર્ષોથી ચાલી રહેલા કૂટનીતિક સંકટ સંપૂર્ણ થવાની દિશામાં સઉદી અરબ પગલા ભરી રહ્યું છે. તે માટે સઉદીએ જમીનની સિમા અને હવાઇ ક્ષેત્ર ખોલવાનો નિર્ણય કર્યો છે. આ જાણકારી અધિકારીઓએ આપી હતી.
કતર માટે શરૂ થશે આ સેવા
હજ માટે ખોલવામાં આવતી હતી બોર્ડર
2017થી ચાલુ હતો વિવાદ
કતર સાથે ઇરાનના સારા સંબંધ પર આપત્તિ
સઉદી અરબ, યુએઇ અને બહરીનને કતર પર ઇસ્લામિક કટ્ટરપંથી સમૂહોને સમર્થન આપવા પર આરોપ લગાવતા તેના પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો હતો. જેના કારણે આ નાના દેશની એક માત્ર જમીન સિમા 2017ના મધ્યથી ઘણો સમય બંધ જ રહે છે. આ દેશોને કતરના ઇરાન સાથે સારા સંબંધ રાખવા પર આપત્તિ છે.
કતર દુધ ઉત્પાદનો, નિર્માણ સામગ્રી તથા અન્ય વસ્તુઓની પૂર્તિ માટે સઉદીની સિમા પર નિર્ભર કરે છે. છેલ્લા 3 વર્ષથી આ બોર્ડરને થોડા સમય માટે ખોલવામાં આવતી હતી જેથી લોકો હજ યાત્રા પર સાઉદી અરબ જઇ શકે.
આ વિવાદમાં મધ્યસ્થતા કરાવી રહેલ કુવૈતના વિદેશ મંત્રીએ આ બાબતની ઘોષણા કરી હતી. આ કથિત રીતે આ સંદેશ કતરના અમીર શેખ તમીમ બિન હમદ અલ થાનીને આપવા માટે સોમવારે દોહા ગયા હતા.
ગલ્ફ કંટ્રીઝ વચ્ચેના વિવાદને લઇને નિર્ણય
ગલ્ફ કંટ્રીઝના આ વિવાદને સોલ્વ કરાવવા માટે સઉદીનો આ મહત્વનો નિર્ણય છે પરંતુ દરેક મતભેદ દૂર થવાની કોઇ જ સંભાવના નથી. અબુધાબી અને દોહા વચ્ચે મતભેદ સૌથી વધારે ઉંડા છે. તો યુએઇ અને કતર વચ્ચે વિવાદ વિચારધારાને લઇને છે.
સઉદી અરબના આ નિર્ણયથી કતરના શાસક મંગળવારે થનાર ખાડી દેશોના વાર્ષિક સંમેલનમાં સામેલ થઇ શકશે.
કતર તરફથી સોમવારે આ વાતની જાણકારી આપવામા આવી હતી.