સાઉદી અરબે તબ્લીગી જમાતને આતંકવાદનો ગેટ ગણાવતા તેના પર પ્રતિબંધ મુક્યો.
મસ્જિદોને શુક્રવારે ધર્મોપદેશથી લોકોને તબ્લીગી જમાત સાથે ન જોડાવાના નિર્દેશ કર્યા
ઉલ્લેખ કરો કે તબ્લીગી જમાત સમાજ માટે સંકટ છે- સઉદી મંત્રાલય
સુન્ની ઈસ્લામી સંગઠને આતંકવાદ ગેટ માંથી એક ગણાવતા આના પર બેન કરવાનું એલાન કર્યું
મસ્જિદોને શુક્રવારે ધર્મોપદેશથી લોકોને તબ્લીગી જમાત સાથે ન જોડાવાના નિર્દેશ કર્યા
સાઉદી અરબે તબ્લીગી જમાતને આતંકવાદના દરવાજામાંથી એક ગણાવતા તેના પર પ્રતિબંધ લગાવી દીધા છે. સઉદી ઈસ્લામી મામલાના મંત્રાલયે મસ્જિદોને શુક્રવારે ધર્મોપદેશ દ્વારા લોકોને તબ્લીગી જમાત સાથે જોડાવાની વિરુદ્ધ ચેતવણી આપવાના નિર્દેશ કર્યા. દેશના ઈસ્લામી મામલાને મંત્રીએ સોશિયલ મીડિયા પર સુન્ની ઈસ્લામી સંગઠને આતંકવાદ ગેટ માંથી એક ગણાવતા આના પર બેન કરવાનું એલાન કર્યું અને કહ્યું કે તબ્લીગી જમાત સમાજ માટે ખતરો છે.
શ્રેણી બદ્ધ ટ્વીટ્સમાં મંત્રાલયે કહ્યું ડો. અબ્દુલ્લાતિફ અલ અલશેખ મસ્જિદો અને તે મસ્જિદોના પ્રચારક જેમાં શુક્રવારની નમાજ અસ્થાયી રુપથી થાય છે. તેમને આગલા શુક્રવારે ધર્મોપદેશને 6/5/1443 એએચની વિરુદ્ધ ચેતવણી આપતા કહ્યું છે. આ ઉપરાંત મંત્રાલયે નિર્દેશ આપ્યા છે કે ધર્મોપદેશમાં નીચેના વિષય શામેલ કરવામાં આવ્યા છે. આ વિષયો અંગે લોકોને જણાવવાનું છે.
1. આ ગ્રુપ ભટકાવનાર, ઝુકાવનારુ તથા ખતરો અને આ આતંકવાદના દ્વારોમાંથી એક છે. ભલે તે આવું ન કરતુ હોવાનો દાવો કરતો હોય.
2. તબ્લીગી જમાતની સૌથી મુખ્ય ભૂલોનો ઉલ્લેખ કરો
3. ઉલ્લેખ કરો કે તબ્લીગી જમાત સમાજ માટે સંકટ છે
4. એક નિવેદન આપવામાં આવે કે સાઉદી અરબમાં તબ્લીગી અને દાવા ગ્રુપસહિત પક્ષપાત પૂર્ણ ગ્રુપોની સાથે જોડાણ પર બેન છે.
ભારતમાં થઈ હતી તબ્લીગી જમાતની સ્થાપના
તબ્લીગી જમાતનો મતલબ ‘વિશ્વાસ ફેલાવવા માટે સમાજ’ આની સ્થાપના 1926માં ભારતમાં થઈ હતી. આ મુસલમાનોને ધાર્મિક રુપથી રહેવાની રીત સમજાવે છે. ખાસ કરીને ડ્રેસિંગ, વ્યક્તિગત વ્યવહાર અને અનુષ્ઠાનોના સંબંધમાં, તબ્લીગી જમાતના દુનિયાભરમાં 40 કરોડ સભ્ય હોવાનું અનુમાન છે.
કોરોનામાં પરવાનગી વગર મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવાનો આરોપ હતો
ગત વર્ષ કોરોનાની શરુઆતમાં તબ્લીગી જમાતને લઈને ખૂબ ચર્ચા હત. આ દરમિયાન તેમના પર કથિત રીતે કોરોના ફેલાવાનો આરોપ હતો. આ ઉપરાંત તબ્લીગી જમાત પર આરોપ હતો કે તેમણે પરવાનગી વગર મોટી સંખ્યામાં લોકોને દિલ્હી નિઝામુદ્દીનમાં સ્થિતિ મરકજમાં ભેગા કર્યા. મોટી સંખ્યામાં સંગઠનના લોકો મરકજમાં ભેગા થયા હતા. જેમાંથી અનેક વિદેશથી આવ્યા હતા. જેને કોરોનાને ફેલાવાના ડરને પ્રોત્સાહન આપ્યુ હતુ.