પોરબંદર: સરકાર દ્વારા ખુલ્લામાં શૌચ મુક્ત ભારત અભિયાન ચાલાવવામાં આવે છે. ત્યારે પોરબંદરમાં આ અભિયાન માત્ર કાગળ પર જ છે. જે અત્યાર સુધી નથી બન્યા શૌચાલય. સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલુ અભિયાન માત્ર કાગળ પર હોય તેવુ લાગી રહ્યું છે.
પોરબંદરમાં 2017થી શૈચાલય બનાવવાની શરૂઆત કરવામાં આવી. આ અભિયાન બાદ પણ અત્યાર સુધીમાં શૌચાલયો રિપેરીંગ કરવામાં આવ્યા નથી અને નવા બનાવવામાં આવેલા શૌચાલયોના તાળા મારવામાં આવ્યા છે. જેના કારણે સ્વચ્છ અભિયાનું માત્ર સ્વપ્ન હોય તેવુ લાગી રહ્યું છે અને શહેરમાં ગંદકીમાં પણ વધારો થઈ રહ્યો છે.
સરકાર દ્વારા પોરબંદરમાં શૌચાલયની કામગીરી શરૂ કરવામાં આવી હતી. સ્વચ્છ અભિયાન હેઠળ પોરબંદરમાં 1167 જેટલા શૌચાલય બનાવવાના હતા. આ મામલે RTI કરવામાં આવતા ખુલાસ થયો છે. શહેરમા માત્ર 659 જેટલા શૌચાલયો બનાવવામાં આવ્યા છે.
તમને જણાવીએ કે ભારત સરકાર દ્વારા ઘરે-ઘરે શૌચાલય બનાવવાનું અભિયાન શરૂ કરવામાં આવ્યુ છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ પૂર્વ મુખ્યમંત્રી આનંદીબને પટેલ દ્વારા પોરબંદરમાં સ્વચ્છ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી.
મહત્વનુ છે કે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે ઓક્ટોબર 2017માં દેશમાં અભિયાનની શરૂઆત કરી. દેશમાં 100 ટકા ખુલ્લામાં શૌચ મુક્ત કરવા માટે અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા સ્વચ્છતા યોજના હેઠળ નગરપાલિકામાં શૌચાલય બનાવવામાં આવે છે. શૌચાલય બનાવવા માટે સરકાર દ્વારા ગ્રાંટ આપવામાં આવે છે.
ઉલ્લેખનીય છે કે RTI દ્વારા આંકડા જાહેર કર્યા બાદ VTVની ટીમે પાલીકાના ચીફ ઓફિસર પાસે અભિયાન બનેલા શૌચાલયની માહિતી લેવામાં આવી. પાલિકાના ઓફિસર અને RTIના આંકડા અલગ અલગ આવ્યા.મહત્વનું છે કે સરકાર દ્વારા દેશમાં 100 ટકા ખુલ્લામાં શૌચ મુક્ત કરવા માટે અભિયાનો ચલાવવામાં આવે છે.
પરંતુ અત્યાર સુધીમાં શૌચાલય બની રહ્યા નથી. આ મામલે જવાબદાર કોણ છે અને પોરબંદરમાં યારે શૌચાલયનું કામ પુર્ણ થશે તેના પર સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે હવે કેટલા દિવસોમાં આ શૌચાલયનું કામ પુર્ણ થશે તે હવે આગામી દિવસોમાં જોવાનુ રહેશે.