શું દિલ્હીમાં સારી રીતે ટેસ્ટિંગ થઇ રહી છે ? આ સવાલનો જવાબ દિલ્હીના આરોગ્ય મંત્રી સત્યેંદ્ર જૈને કહ્યું કે જો ટેસ્ટિંગ વધારવી છે તો ICMR ને કહો કે તેઓ ગાઇડલાઇન બદલી નાંખે. અમે ICMRની ગાઇડલાઇનનું ઉલ્લંઘન ન કરી શકીએ. ICMRની શરતોના આધાર પર જ ટેસ્ટ થઇ શકે છે, બધી સરકારે આ શરતોને માનવી ફરજિયાત છે.
ICMR પોતાની ગાઇડલાઇન્સ બદલે
દિલ્હીમાં વધી જશે ટેસ્ટિંગ
સત્યેંદ જૈને કહ્યું કે કેન્દ્ર સરકાર અને ICMR ને કહી દો કે બધા લોકો માટે ટેસ્ટ ઓપન કરી દે, જેના કારણે જેઓ ટેસ્ટ કરવા ઇચ્છે છે તે કરાવી લે. પરંતુ ઓપન ટેસ્ટ કરવાનો એક મુશ્કેલી એ પણ છે કે બિમાર લોકો ઓછા ટેસ્ટ કરાવશે અને શંકાસ્પદ લોકો વધારે આવશે. એવું પણ બની શકે કે એક દિવસમાં 1,00,000 લોકો ટેસ્ટ કરવા પહોંચી જાય, એવામાં તમારો નંબર એક મહીના પછી આવે.
If you want the number of tests conducted for #COVID19 to increase, then ask ICMR (Indian Council of Medical Research) to change its guidelines. We cannot flout ICMR guidelines that state certain conditions which are prerequisite for tests: Delhi Health Minister Satyendar Jain pic.twitter.com/E3PNFZy6cW