અમરનાથયાત્રાનો શુભારંભ થઈ ચુક્યો છે. યાત્રા માટે શ્રદ્ધાળુઓનો પહેલો જથ્થો જમ્મૂથી રવાના થયો છે. સુરક્ષાની વચ્ચે યાત્રીઓ યાત્રા માટે રવાના થયા છે. ત્યારે યાત્રા માટે પુરતી સુરક્ષા વ્યવસ્થા કરી હોવાનો સરકારનો દાવો છે.
તો આ મુદ્દે કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે મોટુ નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, આવતા વર્ષથી સુરક્ષાની કદાચ જરૂર નહી પડે. કશ્મીરના લોકો જ યાત્રાની સુરક્ષા કરશે. જમ્મૂ કશ્મીરમાં પરિસ્થિતિ ખૂબ સુધરી રહી છે. જિતેન્દ્રસિંહે જણાવ્યું કે, કશ્મીરી યુવાનોનો ભારત પ્રત્યે જુકાવ વધી રહ્યો છે. જેને લઈને અહી સારૂ વાતાવરણ બની રહ્યું છે. આ સાથે જ કાશ્મીરના રાજ્યપાલ મલિક પણ આ યાત્રાને લઇને નિવેદન આપ્યું હતું કે, આ યાત્રા સેના અથવા પોલીસ નહીં પરંતુ કાશ્મીરના લોકો કરાવી રહ્યા છે.
Jammu & Kashmir Governor, Satya Pal Malik: We are making arrangements for security of the Amarnath Yatra but this yatra is not conducted by Army or Police. For many years it's being conducted by people of Kashmir, especially our Muslim brothers, it's conducted with their support. pic.twitter.com/BikEhSRsyH
આ વર્ષની વાર્ષિક અમરનાથ યાત્રા 1 જૂલાઇથી શરૂ થઇને 15 ઓગસ્ટના સમાપ્ત થશે. તાજેતરમાં જ કેન્દ્રીય મંત્રી અમિત શાહે અમરનાથ ગુફામાં બાબા બર્ફાનીના દર્શન કર્યા પછી પોતાના 2 દિવસનો જમ્મૂ-કાશ્મીરનો પ્રવાસ કર્યો હતો અને સુરક્ષાની સ્થિતિની તપાસ કરી.
અમરનાથ યાત્રા માર્ગનું કરાયું હવાઇ પરીક્ષણ
આ પહેલા 9 જૂનના જમ્મૂ-કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિકે અમરનાથ ગુફાની તરફ જનારા બાલતાલ અને પહલગામના માર્ગોનો હવાઇ પરીક્ષણ કર્યુ. રાજ્યપાલ સત્યપાલ મલિકના મુખ્ય સચિવ બીવી.આર.સુબ્રહ્મણ્યમ અને રાજ્યપાલના સલાહકાર કે.વિય કુમારની સાથે બાલતાલ-ડોમેલ-સંગમ-પંજતરની-શેષનાગ-ચંદાવડી-પહલગામ સહિતના અમરનાથ યાત્રા માર્ગનુ હવાઇ પરીક્ષણ કર્યુ.