જો કોઈ કેન્સર પિડીત દર્દીની સારવાર ચાલતી હોય અને અચાનક તે સારવાર બંધ થઈ જાય તો... એ કેન્સર પીડીત દર્દીને ફરી કેન્સરની ચેપ લાગે છે. તે દર્દીને ફરી તે બિમારી શરૂ થઇ જાય છે. એવી જ એક ઘટના અમદાવાદમાં બની છે. અમરાઈવાડી વિસ્તારમાં રહેતા અને મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કરતા સત્યમ વર્મા સાથે.
સ્કૂલ હેલ્થ અંતર્ગત ચાલતી સારવાર શાળાના સહી સિક્કા નહિ થવાના કારણે અટવાઈ પડી છે. તેથી માસુમ બાળક સત્યમને એ બિમારી ફરી લાગુ પડી છે. જેના કારણે હવે ડોક્ટરોએ તેનો પગ કાપવાનું તેના માતાપિતાને જણાવી દીધુ છે. એકના એક દિકરાની આવી હાલતથી માતાપિતા પર આભ તુટી પડ્યું છે. માતાપિતા મ્યુનિસિપલ સ્કૂલના સંચાલકોને આ હાલત માટે જવાબદાર ઠેરવી રહ્યાં છે.
આખરે સત્યમનો અડધો પગ કાપવો પડેશે....
સત્યમ વર્માને અમરાઈવાડીની મ્યુનિસિપલ સ્કૂલમાં અભ્યાસ કરતો . સત્યમની ઉંમર 1 આસપાસ છે. સત્યમના પગમાં એક કેન્સરની ગાંઠ હતી. ઓપરેશન બાદ આ ગાંઠ દૂર તો થઈ ગઈ હતી. પરંતુ ત્યાર બાદ ચાર મહિના અગાઉ સત્યમની કેન્સરની સારવાર એકએક અટવાઈ ગઈ. કારણ માત્ર એ હતુ કે બિમારીના કારણે શાળાએ નહિ જઈ શકનાર સત્યમનું નામ શાળામાંથી કમી કરી દેવાયું હતું. શાળાના સંચાલકોએ નામ કમી થઈ ગયું હોઈ સ્કૂલ હેલ્થના સંદર્ભ કાર્ડ પર શાળાના સહિ સિક્કા કરવા બહાના બતાવ્યા. સત્યમના પિતાને ધક્કા ખવડાવ્યા. ચાર મહિના બાદ સત્યમની બિમારી ફરી વધી ગઈ. આખરે સત્યમનો અડધો પગ કાપવો પડેશે તેવું સિવિલની કેન્સર હોસ્પિટલના તબીબોએ જણાવી દીધુ છે. આ વાત સાંભળીને ચોધાર આંસુએ રહી રહેલ સત્યમની માતાનો આક્ષેપ છે કે જો સ્કૂલએ સહિ સિક્કા કરી આપ્યા હોત તો મારા બાળકનો પગ બચી જાત.
પગની તકલીફના કારણે સત્યમ શાળાએ ના જઈ શક્યો
અમરાઈવાડીની મ્યુનિસિપલ શાળામાં સત્યમ વર્મા 2016માં અભ્યાસ કરતો હતો. તે દરમિયાન તેના પગમાં ગાંઠ હોવાના કારણે આરોગ્ય તપાસ થઈ હતી. આરોગ્ય તપાસમાં આ ગાંઠ કેન્સરની હોવાનું માલુમ પડ્યુ હતું. ત્યાર બાદ શાળા આરોગ્ય અંતર્ગત 2017માં તેને ઓપરેશન પણ થયું અને એ ગાંઠ ડોક્ટરોએ નિકાળી તો કાઢી. પરંતુ પગની તકલીફના કારણે સત્યમ વર્ષ 2018માં શાળાએ ના જઈ શક્યો.
શાળાના સંચાલકોએ સહી સિક્કા ન કરી આપ્યા જેના કારણે...
જો કે તેની સારવાર ચાલુ હોઈ તેના પિતા રામસુમેર વર્મા ફેબ્રુઆરી 2019માં સંદર્ભ કાર્ડમાં સ્કૂલના સહી સિક્કા માટે ગયા હતા. જ્યાં તેમને માલુમ પડ્યું કે તેમના બાળકનું નામ કમી કરી દેવાયું છે. જેના પગલે તેમને શાળાના સંચાલકોએ સહી સિક્કા કરી આપ્યા નહિ. જેના કારણે દવાઓનો ડોઝ બંધ થઈ ગયો અને ફરી પગમાં પરુ થઈ જતા કેન્સરની બિમારી ઘર કરી ગઈ. હવે નોબત એ આવી કે સત્યમના માતાપિતાને સત્યમનો પગ કાપવાની સલાહ તબીબોએ આપી છે. સત્યમના પિતા પણ સત્યમની આ હાલત માટે સ્કૂલના આચાર્યને જવાબદાર ઠેરવી રહ્યાં છે.
બાળક શાળાએ આવતું ન હોય તો...
સત્યમની બિમારીને લઈ મ્યુનિસિપલ સ્કૂલના અગાઉના શિક્ષક રાકેશ ગોસ્વામી ખુબ ચિંતિત હતા. તેમણે આ બાબતે ગંભીરતા દાખવી શાળાના આચાર્ય અને સુપરવાઈઝરને જાણ કરી. પરંતુ રાકેશ ગોસ્વામીની અન્ય શાળામાં બદલી થઈ ગઈ હોઈ તેઓની વાત કોઈએ સાંભળી નહિ. આખરે સત્યમની હાલત બગડતી ગઈ. શિક્ષકનું કહેવું છે કે જો બાળક શાળાએ આવતું ન હોય તો તેને ગેરહાજર જાહેર કરાય નામ કમી ના કરાય. સ્કૂલ બોર્ડનો નિયમ છે કે જો બાળક શાળાએ ના આવતું હોય તો જે તે સ્કૂલના શિક્ષકે તેના માતાપિતાનો સંપર્ક કરી બાળક કેમ નથી આવતું.
શાળાના સંચાલકોએ આ બાબતે ગંભીરતા કેમ ના દાખવી?
સત્યમની કેન્સરની બિમારી વધી ગયા બાદ હવે અધિકારીઓ શાળા અને હેલ્થ બાબતે ધ્યાન આપીશું તેવું કહી રહ્યાં છે. પરંતુ સવાલ અહીં એ થાય છે કે રાજ્ય સરકાર દ્વારા સ્કૂલ હેલ્થ પ્રોગ્રામ અંતર્ગત શાળામાં ભણતા બાળકોની સારવાર મફત થાય છે. તો પછી મ્યુનિસિપલ શાળાના સંચાલકોએ આ બાબતે ગંભીરતા કેમ ના દાખવી? શું અધિકારીઓની સંવેદના મરી પરવારી હતી? શું કેન્સરની ગંભીર બિમારી વિશે તેઓને જાણ ન હતી? તેવા અનેક સવાલો હાલ ઉભા થઈ રહ્યાં છે.