ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકનું કહેવું છે કે જ્યારે તેઓ જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે 95 હજારમાંથી 93 હજાર ફરિયાદનું નિવારણ કર્યું હતું. ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તી સાથે પ્રોટોકોલ તોડીને મેં જ મુલાકાત કરી હતી.
ગોવાના રાજ્યપાલ સત્યપાલ મલિકે કર્યો મહત્વનો ખુલાસો
જમ્મૂ કશ્મીરની ચૂંટણીને લઇને કર્યો ખુલાસો
પંચાયતી ચૂંટણીને લઈને કર્યો આ મહત્વનો ખુલાસો
પંચાયતની ચૂંટણીને લઈને કહી આ વાત
રાજ્યપાલે કહ્યું કે પ્રધાનમંત્રી મોદીએ કહ્યું હતું કે તેઓ જમ્મૂ કાશ્મીરમાં પંચાયત ચૂંટણી કરાવવા ઈચ્છે છે. હું પ્રોટોકોલ તોડીને ઉમર અબ્દુલ્લા અને મહેબુબા મુફ્તીને મળવા ગયો હતો. તેઓએ પાકિસ્તાનના દબાવ હેઠળ તેમાં ભાગ લેવાની ના પાડી હતી. આતંકીઓએ પણ ધમકી આપી કે ચૂંટણી સફળતા પૂર્વક કરાવવામાં આવે.
PM had said that we will conduct panchayat elections (in J&K). I broke protocol & went to Omar Abdullah &Mehbooba Mufti's residence. They refused to participate under Pakistan's pressure. Terrorists also threatened yet election was held successfully: SP Malik, former J&K Governor pic.twitter.com/4o9BcLJZMV
રાજ્યપાલે કહ્યું કે જમ્મૂ કાશ્મીરના રાજ્યપાલ હતા ત્યારે મેં દરેકને માટે રાજભવનના દરવાજા ખોલ્યા હતા. મારા સલાહકારોએ અઠવાડિયામાં એક વાર લોકોની ફરિયાદો સાંળવાનું કામ કર્યું હતું. મારી ઓફિસમાં 95 હજાર ફરિયાદ આવી હતી અને ગોવા આવતાં પહેલાં 93000 ફરિયાદોનું મેં નિરાકરણ પણ લાવ્યું હતું. તેનાથી લોકોને સમાધાન મળ્યું હતું અને તેમનો ગુસ્સો શાંત થયો હતો.
પર્યટનને લઈને કહી આ વાત
ગોવાના ભવિષ્યના પર્યટનને લઈને સત્યપાલ મલિકે કહ્યું, ગોવા કોરોનાથી મુક્ત થઈ ચૂક્યો છે. આ માટે ઘરેલૂ યાત્રી અહીં આવી શકે છે. વિદેશી પર્યટકોને પાછા આવવામાં સમય લાગશે પણ તેઓ આવશે. આ બાબતો ઉદ્યોગને માટે લાંબા ગાળે નુકસાન દાયક નથી.