તમામ ગ્રહોમાં સૌથી ધીમી ગતિએ શનિદેવ રાશિ પરિવર્તન કરે છે ત્યારે અઢી વર્ષ બાદ શનિએ મકરરાશિમાંથી કુંભ રાશિમાં કર્યુ છે ગોચર
અઢી વર્ષમાં એકવાર શનિનું રાશિ પરિવર્તન
મકરમાંથી કુંભ રાશિમાં શનિનો પ્રવેશ
3 રાશિના જાતકોની વધી મુશ્કેલી
ન્યાયના દેવતા શનિદેવ 28 એપ્રિલે મકર રાશિમાંથી કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. શનિદેવને ન્યાયના દેવતા કહેવામાં આવે છે. શનિદેવ વ્યક્તિના જન્મપત્રકમાં સ્થાનના આધારે શુભ કે અશુભ પરિણામ નક્કી કરે છે. આ સાથે વ્યક્તિના વર્તમાન કર્મના આધારે શુભ અને અશુભ પરિણામ પણ નક્કી કરે છે. શનિ અઢી વર્ષમાં એકવાર રાશિ બદલે છે. શનિ બધા ગ્રહોમાં સૌથી ધીમી ગતિ કરે છે. જ્યોતિષમાં શનિના રાશિ પરિવર્તનને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના જાતકોને લાભ થાય છે તો કેટલીક રાશિના જાતકોને નુકસાન થાય છે. ત્યારે આવો જાણીએ શનિનું રાશિ પરિવર્તન કોને કરાવશે નુકસાન..
મીન
કુંભ રાશિમાં શનિના પ્રવેશ સાથે મીન રાશિ પર શનિની સાડાસાતીની શરૂઆત થઈ છે. શનિની સાડા સાતીના ત્રણ તબક્કા છે. જ્યોતિષીય માન્યતાઓ અનુસાર, શનિની સાડાસાતીનો પ્રથમ તબક્કો સૌથી ખતરનાક છે.સાડા સાતીના પ્રથમ ચરણમાં વ્યક્તિએ પોતાનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ.
વૃશ્ચિક
કુંભ રાશિમાં શનિના પ્રવેશ સાથે વૃશ્ચિક રાશિ પર શનિની ઢૈયા શરૂ થઈ ગઈ છે. શનિદેવના ઢૈયા ચઢાવવા પર વ્યક્તિને અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
કર્ક રાશિ
શનિના રાશિ પરિવર્તનને કારણે કર્ક રાશિ પર શનિની દિનદશા શરૂ થઈ ગઈ છે. શનિદેવના ઢૈયા શરુ થતા વિશેષ સાવધાની રાખવું જરુરી છે.