શનિગ્રહે મકર રાશિથી કુંભ રાશિમાં પ્રવેશ કરી દીધો છે. કુંભ રાશિ શનિની મૂળ ત્રિકોણ રાશિ છે. જ્યોતિષ શાસ્ત્રમાં શનિના કુંભ રાશિમાં પ્રવેશને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. શનિ લગભગ દર અઢી વર્ષમાં પોતાની રાશિ બદલે છે.
શનિ ગ્રહે કર્યો મકર રાશિમાં પ્રવેશ
કુંભ રાશિ શનિની મૂળ રાશિ
દર અઢી વર્ષે રાશિ બદલે છે શનિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર દરેક ગ્રહ સમય સમય પર પોતાનું રાશિ પરિવર્ત કરે છે. ગ્રહોના આ રાશિ પરિવર્તનથી અમુક રાશિ વાળાને લાભ પ્રાપ્ત થાય છે અને અમુક રાશિના લોકોને નુકસાન થાય છે. ગ્રહોના પરિવર્તનથી માનવ જીવન અને પૃથ્વી પર તેની અસર જોવા મળે છે. અમે વાત કરી રહ્યા છીએ શનિ ગ્રહની, શનિદેવને કર્મોના અનુસાર ફળ આપનાર ન્યાપના દેવતાના રૂપમાં ઓળખવામાં આવે છે.
6 માર્ચ 2023એ શનિ ગ્રહ પોતાની સ્વરાશિ કુંભમાં ઉદિત થઈ ચુક્યા છે. 30 વર્ષ બાદ શનિ ગ્રહ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં બિરાજમાન થયા છે. એવામાં શનિનું કુંભ રાશિમાં ઉદય ખૂબ જ મહત્વપૂર્ણ અસર કરવાનો છે. કુંભ રાશિમાં પહેલાથી જ સૂર્ય અને બુધ ગ્રહ બિરાજમાન છે. શનિ ઉદયથી કઈ રાશિના લોકોની કિસ્મત ચમકશે આવો જાણીએ.
વૃષભ
શનિ ગ્રહ તમારી સ્વરાશિ કુંભમાં ઉદિત થવી વૃષભ રાશિના લોકો માટે આર્થિક લાભ લઈને આવશે. વૃષભ રાશિના લોકોને રોકાણમાં ફાયદો થશે. ક્યાંકથી અચાનક ધન લાભ થઈ શકે છે. ઈમાનદાર રહેવાથી લાભ પ્રાપ્ત થશે.
કર્ક
શનિગ્રહ તમારી સ્વરાશિમાં જવાથી કર્ક રાશિ વાળાને શુભ ફળ પ્રાપ્ત થશે. કર્ક રાશિના લોકોના રોકાયેલા કામ જલ્દી પૂરા થઈ શકે છે. નોકરીયાત લોકોને પોતાના કાર્ય ક્ષેત્રમાં ખાસ તક મળી શકે છે.
મહેનત કરવાનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે. તમારા કરેલા કાર્યને ઓળખ અને પુરસ્કાર મળી શકે છે. અહંકાર કરવાથી બચો.
સિંહ
શનિ ગ્રહનો પોતાની સ્વરાશિમાં ઉદય સિંહ રાશિના લોકોને અણધાર્યો લાભ આપશે. સિંહ રાશિના લોકો માટે આવકના નવા સ્તોત્ર બનશે. કારણ વગર ખર્ચ કરવાથી બચો. વ્યાપારી વર્ગને વ્યાપારમાં આશા કરતા વધારે લાભ પ્રાપ્ત થશે.
કન્યા
શનિનું પોતાનું સ્વરાશિમાં ઉદય કન્યા રાશિના લોકોને પ્રોફેશનલ લાઈફમાં લાભ પ્રાપ્ત કરાવશે. અમુક ખાસ લોકો સાથે મુલાકાત થઈ શકે છે. જો તમને આવનાર ભવિષ્યમાં મોટો ફાયદો અપાવશે. તમારા પરિવારની સાથે સારો સમય પસાર થશે.
ધન
ધન રાશિના નોકરીયાત લોકો કામથી વધારે પ્રભાવિત થશે. જો નોકરીની તલાશ કરી રહ્યા છો તો તે જલ્દી જ પુરી થશે. નવા વ્યક્તિઓ સાથે મુલાકાત સંભવ છે. જો વિદેશ જવાનું સપનું જોઈ રહ્યા છો તો તે પુરૂ થઈ શકે છે.
મીન
શનિ ગ્રહના ઉદયથી મીન રાશિના લોકોને લાભ પ્રાપ્ત થશે. મીન રાશિના લોકોની લાંબા સમયથી ચાલી રહેલી આર્થિક મુશ્કેલીઓ દૂર થશે. નવી અને સારી નોકરીનો અવસર મળશે. પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વૈવાહિક જીવન સુખમય થશે.