ગ્રહ-નક્ષત્રોનો સીધો સંબંધ જીવન સાથે છે. શનિની 5 જૂનથી લઈને વક્ર ચાલ શરૂ થવાની છે. શનિની આ ચાલ 4 રાશિના લોકોને સૌથી વધારે પ્રભાવિત કરશે.
શનિની ઉંધી ચાલ થઈ શકે છે આ રાશિઓ માટે નુકસાનકારક
થઈ શકે છે આર્થિક નુકસાન
5 જૂનથી 23 ઓક્ટોબર સુધી રહેશે આવી સ્થિતિ
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કોઈ પણ ગ્રહની ઉંધી ચાલની સીધી અસર મનુષ્યના જીવન પર પડે છે. કારણ કે ગ્રહ-નક્ષત્રોનો સીધો સંબંધ જીવન સાથે હોય છે. આ વર્ષે ઘણા ગ્રહ પોતાની ચાલ બદલશે. તેમાં ન્યાયના દેવતા શનિદેવનો પણ સમાવેશ થાય છે. શનિદેવ 5 જૂનથી ઉધી ચાલ કરશે અને આ સ્થિતિમાં 23 ઓક્ટોબર સુધી રહેશે. શનિની વક્ર એટલે કે ઉધી ચાલથી સૌથી વધારે અસર આ 4 રાશિઓ પર થશે.
કર્ક
કર્ક રાશિના લોકો પર શનિની વક્ર ચાલની ખાસ અસર પડશે. શનિની વક્ર અવસ્થા વખતે નોકરી-રોજગારમાં કાર્યસ્થળ પર મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. હકીકતે કર્ક રાશિના સ્વામી ચંદ્રમા છે ચંદ્ર અને શનિની વચ્ચે શત્રુતા રહે છે. એવામાં આ રાશિના જાતકોને ખાસ સાવધાની રાખવાની જરૂર છે. ધન સાથે જોડાયેલા મામલાને લઈને સતર્ક રહેવું જરૂરી છે.
સિંહ
સિંહ રાશિના લોકોને શનિ વક્ર ગતિ વખતે કારણ વગરના ખર્ચ વધશે. દેવાની સમસ્યા પરેશાન કરશે. સ્વાસ્થ્ય બગડી શકે છે. એવામાં ભોજનનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. તે ઉપરાંત કાર્યસ્થળ પર સફળતા મેળવવામાં તેના પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડશે.
વૃશ્ચિક
શનિની ઉંધી ચાલથી વૃશ્ચિક રાશિના જાતક મુશ્કેલીમાં પડી શકે છે. શનિના વક્ર થયા બાદ આર્થિક સ્થિતિ બગડી શકે છે. વૃશ્ચિક રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. મંગળ અને શનિની વચ્ચે શત્રૂતાનો ભાવ રહે છે. જેના કારણે સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા પરેશાન કરી શકે છે. માટે સ્વાસ્થ્ય્યનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે.
મકર
શનિની વક્ર ગતિ થવાથી મકર રાશિ વાળા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. સંચાર સાથે જોડાયેલી વસ્તુઓથી મુશ્કેલી આવશે. તે ઉપરાંત મિત્રો પાસેથી કષ્ટ થઈ શકે છે. વર્ક પ્લેસ પર વધારે પરેશાની આવી શકે છે. તે ઉપરાંત લક્ષ્ય પ્રાપ્તિમાં મુશ્કેલીઓ આવી શકે છે. પગ પાસે સંબંધિ પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે.