29મી એપ્રિલે શનિ ગ્રહ પોતાની રાશિ બદલીને કુંભ રાશિમાં પ્રવેશ કરતા જ પંચ મહાપુરુષ યોગની રચના થઈ થઇ.
29 એપ્રિલે શનિદેવે રાશિ પરિવર્તન કર્યુ
કુંભ રાશિમાં કર્યો છે પ્રવેશ
પંચ મહાપુરુષ યોગનું થયુ છે નિર્માણ
ગયા મહિને 29મી એપ્રિલે શનિ ગ્રહનું મહાગોચર થયું. શનિદેવે 30 વર્ષ બાદ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો છે. કુંભ રાશિ શનિની સ્વરાશિ છે. કુંભ રાશિમાં શનિ પરિવર્તનને કારણે કેટલીક રાશિઓને સાડા સાતીથી રાહત મળી છે. તે જ સમયે કેટલાક લોકો પર સાડા સાતીની શરુઆત થઇ છે. કર્મના દાતા શનિદેવ વ્યક્તિના કર્મ પ્રમાણે ફળ આપે છે. શનિના આ સંક્રમણથી પંચ મહાપુરુષ યોગ રચાયો છે. આ અસર તમામ રાશિના લોકો પર જોવા મળશે.
વ્યક્તિના જીવનમાં સારા કાર્યો કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે. સાથે જ ખોટા કર્મ કરવા પર વ્યક્તિને સાડા સાતી, શનિની ઢૈયા અને શનિની મહાદશામાં કરેલા કર્મોનું ફળ મળે છે. ત્યારે આવો જાણીએ શનિના પંચ મહાપુરુષ યોગથી કઇ રાશિના જાતકોને થશે ફાયદો
કુંભ
કુંભ લગ્ન અને રાશિના જાતકો માટે શનિદેવ લગ્નેશ અને રાશિના સ્વામી હોવાને કારણે ફળદાયી સાબિત થશે. કુંભ રાશિમાં શનિના સંક્રમણને કારણે શશ નામનો પંચ મહાપુરુષ યોગ બની રહ્યો છે. કુંભ રાશિના લોકો માટે વિશેષ ફળદાયી છે. કાર્યક્ષેત્રમાં બદલાવ આવી શકે છે. તેમજ તમારી કાર્ય ક્ષમતામાં વધારો થવાની સંભાવના છે. નવી નોકરી અને વ્યવસાયની તકો ઉભી થશે. સાથે જ આ સમયગાળામાં શનિદેવના ઉપાયો શુભ સાબિત થશે. હનુમાનજીની પૂજા કરવાથી શુભ ફળ મળશે.
મીન
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવનું આ રાશિ પરિવર્તન મીન રાશિના લોકો માટે વ્યય ભાવમાં થયો છે. મીન લગ્ન અને મીન રાશિ માટે શનિ આવક અને વ્યયના કારક હોવાને કારણે શુભ ફળદાયી નથી. કારોબારી ગતિવિધીઓમાં ખર્ચો થઇ શકે છે.
જાણો શું છે પંચ મહાપુરુષ યોગ
પંચ મહાપુરુષ યોગ ગુરુ, મંગળ, શુક્ર, શનિ અને બુધથી બને છે. જ્યારે કોઈ વ્યક્તિની કુંડળીમાં આ યોગ બને છે ત્યારે તે વ્યક્તિ મહાપુરુષની સામે કામ કરવા લાગે છે. આ દરમિયાન વ્યક્તિમાં ગ્રહોના ગુણો વધુ સક્રિય બને છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો કોઈ વ્યક્તિની કુંડળીમાં પંચ મહાપુરુષ યોગ બની રહ્યો હોય અને તે જ ગ્રહો કુંડળીમાં ઉચ્ચ હોય તો આ યોગ વધુ પ્રભાવિત કરે છે.